પ્રથમ વન-ડેમાં બાંગ્લાદેશ સામે પરાજય બાદ રોહિત શર્માની ટીમને વધુ એક લપડાક
યુવરાજ સિંહે શુભમન ગિલના કર્યા વખાણ
વર્ષ 2019માં તમામ ફોર્મેટમાંથી સંન્સાસ લેનારા યુવરાજ સિંહે પોતાના રાજ્ય પંજાબથી યુવા ક્રિકેટરો માટે મેન્ટરની ભૂમિકા નિભાવી રહ્યો છે અને શુભમન ગિલ પણ તેમા સામેલ છે. કોવિડ-19ના કારણે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન શુભમને યુવરાજ સાથે સમય વિતાવ્યો હતો અને પંજાબના વર્તમાન કેપ્ટન તેમજ સનરાઈઝર્સ હૈદરાબાદના ઓલરાઉન્ડર અભિષેક શર્મા સાથે ભારતીય ટીમના આ પૂર્વ ઓલરાઉન્ડ પાસેથી ક્રિકેટના પાઠ શીખ્યો હતો. યુવરાજે કહ્યું હતું ‘શુભમન આકરી મહેનત કરનારો ખેલાડી છે અને તમામ સારી બાબતો પર ધ્યાન આપે છે. મારું માનવું છે કે, આગામી 10 વર્ષમાં તે દિગ્ગજ ખેલાડી બનશે’.
બાંગ્લાદેશે પહેલી વનડેમાં ભારતના મોમાં આવેલો જીતનો કોળિયો છીનવ્યો, ઈરફાન પઠાણને વિશ્વાસ નથી થતો
રમતગમત ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપવા માગે છે
યુવરાજ સિંહે ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના પર્ફોર્મન્સ અને નેશનલ સિલેક્ટર્સને બરતરફ કરવા અંગે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. એક સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે, તે સ્પોર્ટ્સ કે ક્રિકેટર એડમિનિસ્ટ્રેટર બનવા તૈયાર છે. યુવરાજે ઉમેર્યું હતું ‘મને ખબર નથી કે ભવિષ્ય માટે શું લખાયેલું છે, પરંતુ જો હું દેશમાં રમતના વિકાસમાં યોગદાન આપી શકું તો તે સારું રહેશે. હું માત્ર ક્રિકેટ જ નહીં દેશમાં રમતગમતના વિકાસમાં યોગદાન આપવા માગુ છું’.
બાંગ્લાદેશના પ્રવાસે ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો, વનડે અને ટેસ્ટ સીરિઝ માટે બાંગ્લાદેશના પ્રવાસે છે. રવિવારે બંને ટીમ વચ્ચે સીરિઝની પહેલી મેચ રમાઈ હતી. જેમાં ભારતની એક વિકેટથી હાર થઈ હતી. આ માટે બેટિંગ ક્ષેત્રમાં સુધારો કરવાની જરૂર હોવાનું કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું.
Read Latest Cricket News And Gujarati News