રિંકુ સિંહે યશ દયાલની એક ઓવરમાં ફટકારી હતી પાંચ સિક્સર

Yash Dayal, રિંકુએ જેની ઓવરમાં 5 સિક્સર ફટકારી હતી તે યશ દયાલની હાલત ખરાબ, હાર્દિકે કર્યો ચોંકવનારો ખુલાસો – ipl 2023 yash dayal lost 7 8 kg weight and fell ill after rinku singh thrashing reveals hardik pandya


આઈપીએલની વર્તમાન સિઝનમાં પણ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સે આ સિઝનમાં રમાયેલી સાતમાંથી પાંચ મેચ જીતી છે. આ લાજવાબ પ્રદર્શનના કારણે ગુજરાત ટાઈટન્સ ટીમ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સના પણ 10 પોઈન્ટ છે. જોકે, ચેન્નઈની નેટ રનરેટ સારી હોવાના કારણે તે પ્રથમ સ્થાને છે.

હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો

રિંકુ સિંહે યશ દયાલની એક ઓવરમાં ફટકારી હતી પાંચ સિક્સર

જોકે, IPL 2023માં ગુજરાત ટાઈટન્સ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે એક જીતેલી મેચ હારી ગઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ તે મેચ જીતશે તેવી કોઈને અપેક્ષા નહોતી. અંતિમ ઓવરમાં કોલકાતાને જેટલા રન જોઈતા હતા જે જોતાં ટીમ જીતશે તેવું લાગી રહ્યું ન હતું. પરંતુ રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારીને ટીમને ચમત્કારિક જીત અપાવી હતી. એક તરફ પાંચ સિક્સર ફટકારીને રિંકુ સિંહ રાતોરાત સ્ટાર બની ગયો હતો. ત્યારે બીજી તરફ જે બોલરની ઓવરમાં આ પાંચ સિક્સર લાગી હતી તે યશ દયાલની હાલત ખરાબ થઈ ગઈ. એવું માનવામાં આવતું હતું કે છેલ્લી ઓવરમાં પાંચ સિક્સર ફટકાર્યા બાદ યશ દયાલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ તે પાછળની હકિકત કંઈક અલગ જ છે.

કેપ્ટન હાર્દિક પંડ્યાએ યશ દયાલ વિશે કર્યો મોટો ખુલાસો

કેપ્ટન હાર્દિક પંડ્યાએ યશ દયાલ વિશે કર્યો મોટો ખુલાસો

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ યશ દયાલ વિશે ખુલાસો કરતા કહ્યું હતું કે પોતાની એક ઓવરમાં પાંચ સિક્સર લાગ્યા બાદ યશ દયાલ 10 દિવસથી બીમાર હતો. તેનું 7થી 8 કિલો જેટલું વજન ઘટી ગયું છે. હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે યશ દયાલ કોલકાતા સામેની મેચ બાદ 10 દિવસથી બીમાર હતો. તેના વજનમાં લગભગ 7થી 8 કિલોનો ઘટાડો થયો છે. તે અત્યારે રમી શકવાની સ્થિતિમાં નથી. તેને મેદાન પર પાછા ફરવામાં થોડો સમય લાગશે.

ગુજરાત ટાઈન્ટસમાં ક્યારે પરત ફરશે તેના પર છે સૌની નજર

ગુજરાત ટાઈન્ટસમાં ક્યારે પરત ફરશે તેના પર છે સૌની નજર

હાર્દિકે તે પણ જણાવ્યું હતું કે જ્યારે યશ બીમાર પડ્યો હતો, તે સમયે વાયરલ ઈન્ફેક્શન પણ ચાલી રહ્યું હતું. નોંધનીય છે કે યશ દયાલે IPL 2022માં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેણે નવ મેચમાં 11 વિકેટ ઝડપીને સનસનાટી મચાવી દીધી હતી. આ પછી યશને બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો. જોકે હવે યશ દયાલ ગુજરાત ટાઈટન્સ ટીમમાં ક્યારે પરત ફરશે તેના પર સૌની નજર રહેલી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *