virat kohli, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અગાઉ ભારતની ચિંતા વધી, વિરાટ કોહલી થયો ઈજાગ્રસ્ત - ipl 2023 virat kohli sustains knee niggle ahead of world test championship final

virat kohli, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અગાઉ ભારતની ચિંતા વધી, વિરાટ કોહલી થયો ઈજાગ્રસ્ત – ipl 2023 virat kohli sustains knee niggle ahead of world test championship final


ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 16મી સિઝન હવે પૂરું થવામાં એક સપ્તાહનો સમય બાકી છે અને ત્યારબાદ આગામી મહિને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાવાની છે. જોકે, આ મહત્વના મુકાબલા અગાઉ ભારતનો સ્ટાર બેટર વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થયો છે. રવિવારે બેંગલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રમાયેલી અત્યંત મહત્વની મેચમાં કોહલીના જમણા પગના ઘૂંટણમાં ઈજા થઈ હતી. જોકે, રોયલ ચેલેન્જર્સ બેંગલોરના હેડ કોચ સંજય બાંગરે જણાવ્યું છે કે કોહલીની ઈજા ચિંતાજનક નથી. રવિવારે રમાયેલી અંતિમ લીગ મેચમાં વિરાટ કોહલીએ લજવાબ સદી ફટકારી હતી. જોકે, શુભમન ગિલે ધમાકેદાર સદી ફટકારી હતી જેના કારણે બેંગલોરને ગુજરાત સામે છ વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ બેંગલોરની ટીમ આઈપીએલ-2023માંથી બહાર થઈ ગઈ હતી.

શાનદાર સદી ફટકારવા ઉપરાંત કોહલીએ વિજય શંકરને આઉટ કરવા માટે એક અદ્દભુત કેચ પણ ઝડપ્યો હતો. જોકે, આ દરમિયાન તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી. મેદાન પર ફિઝિયો દ્વારા તેને તપાસવામાં આવ્યો હતો અને અંતે તેણે મેદાન છોડવાનો નિર્ણય લીધો હતો. છેલ્લી પાંચ ઓવરમાં તે ડગઆઉટમાં બેઠો હતો. મેચ બાદ કોચ સંજય બાંગરે જણાવ્યું હતું કે, કોહલીના ઘૂંટણમાં ઈજા થઈ છે. પરંતુ મને નથી લાગતું કે તેની ઈજા વધારે ગંભીર છે.

કોહલી શાદનાર ફોર્મમાં છે અને તેણે હૈદરાબાદ અને ગુજરાત સામે સળંગ બે મેચમાં બે સદી ફટકારી હતી. બાંગરે જણાવ્યું હતું કે, કોહલીએ ચાર દિવસની અંદર ઉપરા-ઉપરી બે સદી ફટકારી હતી. કોહલી ફક્ત બેટ વડે જ નહીં પરંતુ ફિલ્ડિંગમાં પણ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા ઈચ્છે છે. બે દિવસ પહેલા તે ચાર ઓવર સુધી અને ગુજરાત સામે 35 ઓવર તે મેદાનમાં ફિલ્ડિંગમાં રહ્યો હતો. તેના કારણે તેના શરીર પર વધારાનો લોડ આવ્યો હશે પરંતુ તેની ઈજા વધારે ગંભીર અને ચિંતાજનક નથી.

કોહલી સહિત સાત ખેલાડીઓ મંગળવારે ઈંગ્લેન્ડ જવા રવાના થશે. ત્યાં તેઓ 7 જૂનથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટેની તૈયારીઓ કરશે. ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા કે જે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે તે પણ ટીમ સાથે જોડાશે. ભારતીય ટીમ સળંગ બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચ્યું છે. આ પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ સિઝનમાં ટીમ ફાઈનલમાં પહોંચી હતી જ્યાં તેને ન્યૂઝીલેન્ડ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *