Sourav ganguly statement on Kohli Captaincy, kohli captaincy controversy: વિરાટે કેપ્ટનશિપ છોડી કે હકાલપટ્ટી થઈ હતી? ગાંગુલીએ કર્યો મોટો ઘટસ્ફોટ - sourav ganguly statement on virat kohli captaincy controversy

Sourav ganguly statement on Kohli Captaincy, kohli captaincy controversy: વિરાટે કેપ્ટનશિપ છોડી કે હકાલપટ્ટી થઈ હતી? ગાંગુલીએ કર્યો મોટો ઘટસ્ફોટ – sourav ganguly statement on virat kohli captaincy controversy


Kohli Captaincy Controversy: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં (WTC Final 2023) ઈન્ડિયન ટીમની કારમી હારથી હોબાળો મચી ગયો છે. ભારત સતત બીજીવાર ફાઈનલમાં પહોંચીને હારી જતા ફેન્સ નિરાશ થઈ રહ્યા છે. તથા રોહિતની કેપ્ટનશિપ અને ટીમ સિલેક્શન સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ હારના કારણે વિરાટ કોહલીનો કેપ્ટનશિપ વિવાદ ( Virat Kohli Captaincy Controversy) ઉજાગર થઈ ગયો છે. તેવામાં BCCIના પૂર્વ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ (Sourav Ganguly) એક ઈન્ટર્વ્યૂમાં મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેણે જણાવ્યું કે કોહલીને કેપ્ટનશિપથી હટાવવામાં આવ્યો કે પછી તેણે સામે ચાલીને આ પદ છોડી દીધું હતું.

હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો

રોહિતને ત્રણેય ફોર્મેટના કેપ્ટન તરીકે સમર્થન
ઉલ્લેખનીય છે કે સૌરવ ગાંગુલીએ કહ્યું કે તેણે રોહિત શર્માને ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનાવવા મુદ્દે સમર્થન આપ્યું હતું. તેણે કહ્યું કે એક જ કેપ્ટન ત્રણેય ફોર્મેટમાં ટીમને સંભાળે એ આવશ્યક છે. જોકે મે તો માત્ર સમર્થન આપ્યું હતું આનો નિર્ણય સિલેક્ટર્સે લેવાનો હોય છે. વિરાટ કોહલીએ સામે ચાલીને કેપ્ટનશિપ છોડી દીધી હતી. જો તમે મને પૂછી રહ્યા છો કે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ અત્યારે ટીમ માટે યોગ્ય છે કે નહીં તો હું એક જ નિવેદન આપીશ કે હાં તેઓ યોગ્ય છે.

રોહિત-દ્રવિડથી યોગ્ય કોઈ નથી
તેણે વધુમાં કહ્યું કે મને લાગે છે અત્યારે ઈન્ડિયન ટીમ માટે રાહુલ દ્રવિડ અને રોહિત શર્માથી યોગ્ય બીજુ કોઈ નથી. જોકે મને એ નથી ખબર કે વર્લ્ડ કપ પછી રોહિત શર્માની યોજના શું રહેશે પરંતુ અત્યારે આ બંનેની જોડી યોગ્ય છે. આમનાથી શાનદાર બીજુ કોઈ નથી. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપનું આયોજન આ વર્ષે ભારતમાં જ થશે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ વર્લ્ડ કપ જીત્યો હતો. તેવામાં ફરી એકવાર ટીમ ઈન્ડિયા પાસે વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક છે. જેના માટે ટીમ કોમ્બિનેશન મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે.

વિરાટ સાથે કેવો હતો સંબંધ?
છેલ્લા કેટલાક સમયથી સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચેના સંબંધોને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. જોકે વિરાટ કોહલી કે સૌરવ ગાંગુલી બંનેમાંથી કોઈએ ક્યારેય જાહેરમાં તેમની તરફથી કંઈ કહ્યું નથી. જોકે સૌરવ ગાંગુલીએ હવે ચોક્કસપણે કોહલી વિશે વાત કરી છે. તેણે કહ્યું, ‘T20 વર્લ્ડ કપ પછી વિરાટ કોહલીએ જાહેરાત કરી હતી કે તે આ ફોર્મેટમાંથી કેપ્ટન્શિપ છોડશે. જોકે તે વનડે અને ટેસ્ટમાં કેપ્ટનશિપ ચાલુ રાખવા માંગતો હતો. ગાંગુલીએ કહ્યું, ‘BCCI T20 અને ODIમાં અલગ કેપ્ટનના પક્ષમાં ન હતું. આવી સ્થિતિમાં વિરાટ કોહલી પાસેથી વનડેની કેપ્ટનશીપ લેવામાં આવી હતી. તેણે પહેલા જ ટી20માંથી કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી દીધી હતી પરંતુ તે પછી તેણે સાઉથ આફ્રિકા પ્રવાસ પર પ્રેસ કોન્ફરન્સમાં જે કહ્યું તે ઘણું આશ્ચર્યજનક હતું.

Latest National News And Gujarat News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *