‘ટીમે દૂધમાં પડેલી માખીની જેમ બહાર ફેંકી દીધો’ પત્ની સામે છલકાયું ચહલનું દુઃખ
નવા કોચની શોધમાં આરસીબી
આ સિવાય બોલિંગના કેચ એડમ ગ્રિફિથને લઈને પણ હજી સુધી કંઈ સ્પષ્ટ થયું છે કે તેઓ આગામી સીઝન માટે ટીમમાં બનેલા રહેશે કે નહીં. આરસીબીના કોચિંગ સ્ટાફમાં સંજય બાંગર અને માઈક હેસન વચ્ચે સારું બોન્ડિંગ હતું પરંતુ વર્ષો બાદ આ બંને આરસીબીથી અલગ થવાના છે. માઈક હેસન અને સંજય બાંગર બાદ બેંગ્લોરની ટીમ એક નવા કોચની શોધમાં છે. જો કે, ફ્રેન્ચાઈઝી વિદેશી કોચ રાખશે કે પછી ભારતીય તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. આઈપીએલ 2023માં આરસીબીનું પર્ફોર્મન્સ કંઈ ખાસ રહ્યું નહોતું. ફાક ડુ પ્લેસિસની કેપ્ટનશિપમાં આરસીબીની ટીમ પ્લેઓફમાં પણ જગ્યા બનાવી શકી નહોતી. તેવામાં માનવામાં આવી રહ્યું હતું કે, આગામી સીઝન પહેલા ટીમમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.
આખરે પકડાઈ ગયું રોહિત શર્માનું જુઠ્ઠાણું! પત્ની રિતિકા સજદેહ જ હકીકત સામે લાવી!
ટીમ ઈન્ડિયામાંથી પણ કરાયા હતા બહાર
જણાવી દઈએ કે, સંજય બાંગડ એકસમયે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનના કોચ હતા. તેઓ 2014થી 2019 સુધી ભારતીય મેન્સ ટીમના બેટિંગના કોચ હતા. વર્લ્ડ કપ 2019ના સેમીફાઈનલમાં ભારતીય ટીમની હારનું પરિણામ તેમણે એકલાએ ભોગવવું પડ્યું હતું. ટીમ માટે નવા કોચિંગ સ્ટાફના હેડ રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરુણ પોતાની જગ્યા બચાવવામાં સફળ રહ્યા હતા, પરંતુ સંજય બાંગડને હચાવી વિક્રમ રાઠોડને નવા બેટિંગ કોચ બનાવાયા હતા, જે બાદ તેઓ આરસીબીના હેડ કોચ બન્યા હતા અને ઓફ સીઝન કોમેન્ટ્રી પણ કરવા લાગ્યા હતા. સંજય બાંગડ ભારત માટે 2001થી 2004ની વચ્ચે 12 ટેસ્ટ અને 15 વનડે ઈન્ટરનેશનલ પણ રમ્યા હતા.
એક પણ ટ્રોફી નથી જીત્યું RCB
આરસીબી ભલે એક પણ આઈપીએલ ટ્રોફી ન જીત્યું હોય પરંતુ તેની ગણતરી મજબૂત ટીમમાં કરવામાં આવે છે. આ ટીમને વિરાટ કોહલી, ક્રિસ ગેલ અને એબી ડિવિલિયર્સ જેવા દિગ્ગજોનો સાથ મળ્યો છે પરંતુ દુઃખની વાત એ છે કે, તે એકવાર પણ ચેમ્પિયન બની શક્યું નથી. બેંગ્લોરે આઈપીએલમાં ત્રણ વખત ફાઈનલમાં જગ્યા બનાવી છે અને ત્રણેયવાર હારનો સામનો કરવો પડ્યો છે. આરસીબી સૌથી પહેલીવાર 2009માં ફાઈનલમાં પહોંચી હતી. જે બાદ 2011 અને 2016માં ફાઈનલ સુધીની સફર નક્કી કરી હતી. તેવામાં આશા રાખવામાં આવી રહી છે કે નવી સીઝનમાં નવા કોચની સાથે મળી ટીમ એક નવી શરૂઆત કરશે.
Read latest Cricket News and Gujarati News