rohit sharma, IND vs AUS: શરમજનક હાર બાદ નિરાશ થયો કેપ્ટન Rohit Sharma, ઓસ્ટ્રેલિયાના બોલર Mitchell Starcના કર્યા વખાણ - ind vs aus rohit sharma blames whom for defeat in 2nd odi

rohit sharma, IND vs AUS: શરમજનક હાર બાદ નિરાશ થયો કેપ્ટન Rohit Sharma, ઓસ્ટ્રેલિયાના બોલર Mitchell Starcના કર્યા વખાણ – ind vs aus rohit sharma blames whom for defeat in 2nd odi


વિશાખાપટ્ટનમઃ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી વનડે સીરિઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ (IND vs AUS) શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલા મહેમાન ટીમના ખેલાડીઓ 26 ઓવરમાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા અને માત્ર 117 રન જ બનાવી શક્યા હતા, જવાબમાં ઓસ્ટ્રેલિયાએ એક પણ વિકેટ ગુમાવ્યા વગર 11 ઓવરમાં આ લક્ષ્યને પ્રાપ્ત કરી લીધું હતું. આમ ભારતની 10 વિકેટથી હાર થઈ હતી. મેચ બાદ યોજાયેલી પ્રેઝન્ટેશન સેરેમનીમાં કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ઘણો નિરાશ જણાતો હતો. આ દરમિયાન તેણે પિચ બિલકુલ પણ આટલા રન બનાવી શકાય તેવી ન હોવાનું કહ્યું હતું. જણાવી દઈએ કે, ત્રીજી અને અંતિમ મેચ ચેન્નઈમાં રમાવાની છે.

ઓસ્ટ્રેલિયા સામે સતત બીજી મેચમાં ગોલ્ડન ડક, સૂર્યાએ નોંધાવ્યો શરમજનક રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા સામેની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાની હાર
હાર બાદ રોહિત શર્માએ કહ્યું હતું કે, ‘નિશ્રિતરૂપથી આ ઓછો સ્કોર બને તેવી પિચ નહોતી અને અમારી ટીમના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું નહોતું. સ્ટાર્ક સારો બોલર છે. તે નવા બોલથી ઓસ્ટ્રેલિયા સામે આટલા વર્ષોથી ભૂમિકા ભજવી રહ્યો છે. તે પોતાની કુશળતા પ્રમાણે અદ્દભુત બોલિંગ કરે છે અને અમે તેની સામે સતત નિષ્ફળ રહ્યા હતા. અમારે આ વાત સમજવી પડશે અને તે પ્રમાણે રમવું પડશે’.

IND vs AUS:ભારતની વન ડેના ઈતિહાસમાં સૌથી મોટી હાર, ઓસ્ટ્રેલિયાની ટીમે ધોઈ નાખ્યા

26 ઓવરમાં ટીમ ઈન્ડિયા ઓલઆઉટ
‘અમે એક બાદ એક વિકેટ ગુમાવતા રહ્યા હતા અને જ્યાં પહોંચવા માગતા હતા ત્યાં પહોંચી શક્યા નહોતા. અમે પહેલી જ ઓવરમાં શુભમન ગિલની વિકેટ ગુમાવી હતી, ત્યારબાદ મેં અને વિરાટે ઝડપથી 30-35 રન બનાવ્યા હતા. પરંચુ બાદમાં મેં મારી વિકેટ ગુમાવી હતી અને પછી સતત બે વિકેટ પડી. જેના કારણે અમે બેકફુટ પર આવી ગયા હતા. તે સ્થિતિમાં પાછું આવું મુશ્કેલ હોય છે’, તેમ રોહિત શર્માએ ઉમેર્યું હતું.

‘ઓછા રન કરી શકીએ તેવી પિચ નહોતી’
બોલરની નિષ્ફળતા અંગે કેપ્ટને કહ્યું હતું કે, 117નો સ્કોર સહેજ પણ પડકારજનક નહોતો. તેમણે પર 15 બોલમાં 13 રનનું યોગદાન આપ્યું હતું. આગળ તેણે કહ્યું હતું કે ‘આ નિરાશાજનક છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે અમે અમારી ક્ષમતા અનુસાર રમ્યા નહોતા. અમે બોલિંગ પણ સારી કરી નહોતી. અમે જાણતા હતા કે આ સ્કોર સારો નથી. આ જરાય પણ 117 રનના સ્કોરવાળી પિચ નહોતી. કોઈ પણ રીતે નહીં. અમે સારું રમ્યા નહીં’. ઉલ્લેખનીય છે કે, પારિવારિક કારણોસર રોહિત શર્મા સીરિઝની પહેલી મેચ રમી શક્યો નહોતો અને તેમાં સુકાની પદ હાર્દિક પંડ્યાને સોંપવામાં આવ્યું હતું. આ મેચમાં ભારતની પાંચ વિકેટથી જીત થઈ હતી.

Read latest Cricket News and Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *