rohit sharma, ભારતનો વિન્ડિઝ પ્રવાસઃ કંગાળ ફોર્મમાં રમી રહેલા રોહિત શર્માને આરામ આપવામાં આવશે? - india tour west indies 2023 captain rohit sharma to be rested for part of the tour

rohit sharma, ભારતનો વિન્ડિઝ પ્રવાસઃ કંગાળ ફોર્મમાં રમી રહેલા રોહિત શર્માને આરામ આપવામાં આવશે? – india tour west indies 2023 captain rohit sharma to be rested for part of the tour


ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા છેલ્લા ઘણા સમયથી કંગાળ ફોર્મમાં રમી રહ્યો છે. જેના કારણે તેને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં કેટલાક ભાગમાં આરામ આપવામાં આવી શકે છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે પસંદગીકારો રોહિત શર્માને વિન્ડિઝ પ્રવાસમાં કેટલાક ભાગમાં આરામ આપી શકે છે. રાષ્ટ્રીય પસંદગીકારો 27 જૂને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટેની ટીમની પસંદગી કરશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈએ ડોમિનિકામાં પ્રથમ ટેસ્ટ રમાશે અને ત્યારબાદ ટ્રિનિદાદમાં બીજી ટેસ્ટ રમાશે.

સૂત્રના જણાવ્યા પ્રમાણે, આઈપીએલ અને ઈંગ્લેન્ડમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન રોહિત શર્મા કંગાળ ફોર્મમાં જોવા મળ્યો હતો. તેથી પસંદગીકારો તેને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસની ત્રણેય સીરિઝમાં રમાડવા ઈચ્છતા નથી. તેને ટેસ્ટ સીરિઝ અથવા તો વ્હાઈટબોલની આઠ મેચ (ત્રણ વન-ડે અને પાંચ ટી20)માં આરામ આપવામાં આવી શકે છે. પસંદગીકારો રોહિત શર્મા સાથે વાતચીત કરશે અને બાદમાં નિર્ણય લેશે.

આઈપીએલ-2023માં રોહિત શર્માએ 16 મેચમાં 20.75ની અવરેજથી 332 રન જ નોંધાવ્યા હતા. જેમાં બે અડધી સદી સામેલ હતી. જ્યારે ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રોહિત શર્માએ 15 અને 43 રન નોંધાવ્યા હતા. જો, રોહિત શર્માને ટેસ્ટ સીરિઝ માટે આરામ આપવામાં આવશે તો શાનદાર કમબેક કરનારા અજિંક્ય રહાણેને કાર્યકારી કેપ્ટન બનાવવામાં આવી શકે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રહાણેએ 89 અને 46 રનની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને પણ ટેસ્ટ સીરિઝમાં આરામ આપવામાં આવી શકે છે.

જોકે, ટીમમાં સ્થાન જાળવી રાખવાનું સૌથી વધુ દબાણ ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા પર રહેશે. પરંતુ જો રોહિત અને વિરાટ કોહલી બંનેને આરામ આપવામાં આવશે તો શક્યતા છે કે પૂજારાને જીવતદાન મળી શકે છે. ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 2023-25 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલની પ્રથમ સીરિઝ હશે.

ભારતીય ટીમ સળંગ બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલામં પહોંચી હતી અને બંને વખતે ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ વખત ફાઈનલમાં ભારતનો સામનો ન્યૂઝીલેન્ડ સામે હતો. જોકે, ત્યારે વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમનો પરાજય થયો હતો. જ્યારે ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્માની ટીમ 209 રને હારી ગઈ હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *