સેમસનને તક ન આપવા પર પંડ્યાએ કહી દીધું, ‘આ મારી ટીમ છે અને જેમ ઠીક લાગશે તેમ જ કરીશ’
કુલદીપ સેનને મળી તક
શાહબાઝ અહમદ સિવાય ટીમમાં બાંગ્લાદેશ સામેની વનડે સીરિઝ માટે કુલદીપ સેનને પણ તક આપવામાં આવી છે. આ પહેલા જ્યારે ટીમનું સિલેક્શન કરવામાં આવ્યું હતું ત્યારે ટીમમાં તેનું નામ નહોતું. પરંતુ યશ દયાળના ઈજાગ્રસ્ત થયા બાદ ટીમ ઈન્ડિયામાં તેની એન્ટ્રી થઈ ગઈ છે.
ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે ટીમ ઈન્ડિયા
બાંગ્લાદેશ પહેલા ટીમ ઈન્ડિયા ત્રણ-ત્રણ મેચોની ટી20 અને વનડે સીરિઝ માટે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. ટી20માં ભારતે યજમાન ન્યૂઝીલેન્ડને 1-0થી હરાવ્યું હતું. સીરિઝમાં એક જ મેચ પૂરી થઈ શકી જ્યારે અન્ય બે વરસાદના કારણે પ્રભાવિત રહી. ટી20 સીરિઝ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં રમાઈ હતી જ્યારે વનડે સીરિઝનો સુકાની શિખર ધવન છે. બંને દેશ વચ્ચે સીરિઝની પહેલી વનડે 25 નવેમ્બરે રમાશે.
રનનો વરસાદ કરી રહ્યો છે ધોનીનો ભૂતપૂર્વ સાથી ખેલાડીઃ રચ્યો નવો ઈતિહાસ, રોહિતનો રેકોર્ડ પણ ના બચ્યો
બાંગ્લાદેશ ટુર પર ભારતીય ટીમનું શિડ્યૂલ
ન્યૂઝીલેન્ડ સામે વનડે સીરિઝ ખતમ થયા બાદ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ જવા રવાના થશે. બાંગ્લાદેશમાં પહેલી વનડે મેચ 4 ડિસેમ્બરે રમાશે. જ્યારે બીજી 7 ડિસેમ્બરે અને અંતિમ 9 ડિસેમ્બરે. ત્રણેય મેચ ત્યાંના મીરપુર સ્ટેડિયમમાં રમાશે. વનડે સીરિઝ બાદ બંને ટીમ વચ્ચે ટેસ્ટ સીરિઝ પણ થશે.
બાંગ્લાદેશ વનડે માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, રિષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શાહબાદ અહમદ, અક્ષર પટેલ, વાશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મહોમ્મદ શમી, મહોમ્મદ સિરાઝ, દીપક ચહર, કુલદીપ સેન.
Read Latest Entertainment News And Gujarati News