ms dhoni retirement, શું IPLની વધુ એક સિઝન રમશે ધોની? ફાઈનલ બાદ ચેન્નઈના કેપ્ટને શું સંકેત આપ્યા? - no more ipl for ms dhoni chennai super kings skipper speaks on retirement

ms dhoni retirement, શું IPLની વધુ એક સિઝન રમશે ધોની? ફાઈનલ બાદ ચેન્નઈના કેપ્ટને શું સંકેત આપ્યા? – no more ipl for ms dhoni chennai super kings skipper speaks on retirement


અંતિમ બોલ સુધી દિલધડક રહેલી ફાઈનલમાં લાજવાબ વિજય નોંધાવીને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 જીતી લીધી છે. વરસાદન વિઘ્ન વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નઈએ ડકવર્થ લૂઈસ મુજબ ગુજરાત ટાઈટન્સને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે જ આઈપીએલ-2023ની સમાપ્તી થઈ હતી. જોકે, સમગ્ર સિઝન દરમિયાન એક વાતની ચર્ચા થઈ હતી કે ચેન્નઈનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ સિઝન બાદ નિવૃત્તિ લેશે? પરંતુ ધોનીએ હજી સુધી તે અંગે કોઈ જાહેરાત કરી નથી.

ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમું ટાઈટલ જીતાડ્યા બાદ પોતાની નિવૃત્તિની અટકળોને ફગાવી દેતા મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે તે ચાહકોને તેમના પ્રેમને જોતાં આગામી સિઝનમાં ફરી રમશે. આ સિઝન (IPL 2023) ની શરૂઆતથી જ એવી અટકળો ચાલી રહી હતી કે આ ધોનીની છેલ્લી IPL હશે. જે રીતે પ્રેક્ષકોએ દરેક ગ્રાઉન્ડ પર તેના પર પ્રેમનો વરસાદ વરસાવ્યો હતો તે જોતાં તેની શક્યતા વધુ પ્રબળ લાગી રહી હતી.

ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે પાંચ વિકેટથી મળેલી જીત બાદ જ્યારે ધોનીને પૂછવામાં આવ્યું કે શું આ તેની છેલ્લી સિઝન છે તો તેણે કહ્યું, સંજોગોને જોતા મારા માટે નિવૃત્તિ લેવાનો આ શ્રેષ્ઠ સમય છે. મારા માટે તે કહેવું ખૂબ જ સરળ છે કે હું હવે જતો રહ્યો છું પરંતુ આગામી નવ મહિના સુધી સખત મહેનત કરીને વધુ એક સિઝન રમીને પરત ફરવું મુશ્કેલ છે.

તેણે કહ્યું હતું કે, શરીરે સાથ આપવો પડશે. ચેન્નાઈના પ્રશંસકોએ જે રીતે મારા પર પ્રેમ વરસાવ્યો છે, તેમના માટે વધુ એક સિઝન રમવી તે મારા તરફથી તેમને એક ભેટ હશે. તેઓએ જે પ્રેમ અને જુસ્સો દર્શાવ્યો છે તેના માટે મારે પણ કંઈક કરવું જોઈએ, તેમ જણાવતા ધોનીએ કહ્યું હતું કે, આ મારી કારકિર્દીનો છેલ્લો તબક્કો છે. અહીંથી શરૂઆત થઈ હતી અને આખું સ્ટેડિયમ મારા નામના નારા લગાવી રહ્યું હતું. ચેન્નાઈમાં પણ આવું થયું પણ હું પાછો આવીશ અને મારાથી બને એટલું રમીશ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *