MS Dhoni, MS Dhoni: ધોનીને બાળપણના મિત્રએ શીખવ્યો હતો હેલિકોપ્ટર શોટ, સમોસા ખવડાવવાના બદલામાં થઈ હતી ડીલ - who taught ms dhoni famous helicopter shot

MS Dhoni, MS Dhoni: ધોનીને બાળપણના મિત્રએ શીખવ્યો હતો હેલિકોપ્ટર શોટ, સમોસા ખવડાવવાના બદલામાં થઈ હતી ડીલ – who taught ms dhoni famous helicopter shot


નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન (Chennai Super Kings) અને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ (MS Dhoni) ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી તો પહેલાથી જ સંન્યાસ લઈ લીધો છે. પરંતુ તે હજી પણ આઈપીએલમાં પોતાનો જાદૂ પાથરી રહ્યો છે. ધોનીએ સુકાની પદ હેઠળ ચેન્નઈને પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યું છે. આ સીઝનમાં પણ ધોનીની કેપ્ટનશિપ કમાલની રહી. જો કે, ફેન્સ તેને એટલો વધારે બેટિંગ કરતો જોઈ શક્યા નહીં. દરેક કોઈ માહીની બેટિંગના દિવાના છે. ખાસ કરીને તેના હેલિકોપ્ટર શોટના . ધોનીના હેલિકોપ્ટર શોટથી તો દરેક કોઈ વાકેફ છે, ધોની આ શોટના આધારે જ યોર્કર બોલમાં પણ છગ્ગો ફટકારે છે. પરંતુ શું તમે જાણો છો કે તેને આ શોટ કોણે શીખવ્યો હતો? અથવા ધોની આ શોટ ક્યાંથી રમતાં શીખ્યો? તમને આ વિશે વિગતવાર જણાવીએ…

હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો

ધોનીને હેલિકોપ્ટર શોટ કોણે શીખવ્યો હતો?
ઝારખંડના પૂર્વ ક્રિકેટર અને એમએસ ધોનીના બાળપણના મિત્ર સંતોષ લાલે તેને હેલિકોપ્ટર શોટ શીખવ્યો હતો. ધોનીની બાયોપિક ફિલ્મ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’માં પણ આ વાતનો ખુલાસો થયો હતો. ફિલ્મમાં સંકોષ પોતાની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માટે શોટ રમે છે. સંતોષે ધોનીને આ શોટ સમોસાના બદલે શીખવ્યો હતો.

ગત વર્ષે CSK છોડવા માગતો હતો જાડેજા, બંને વચ્ચે તિરાડ હોવા છતાં ધોનીએ આ રીતે મનાવ્યો હતો

29 વર્ષની ઉંમરે જ સંતોષ લાલનું નિધન
આ સિવાય કરીએ, સંતોષની તો તે 8 ફર્સ્ટ ક્લાસ, 16 લિસ્ટ એ મેચ અને 6 ટી20 રમ્યો છે. જો કે, સંતોષ દારુનું સેવન વધારે કરતો હતો અને આ વાત ધોનીની બાયોપિકમાં પણ દેખાડવામાં આવે છે. તે પોતાના ડોમેસ્ટિક કરિયરની અંતિમ મેચ માર્ચ 2010માં ઈન્દોર સામે રમ્યો હતો. તે બાદ 2013માં પેંક્રિયાટાઈટિસની બીમારીના કારણે 29 વર્ષની ઉંમરમાં જ તેનું નિધન થયું હતું.

IPL 2023: ફાઈનલ કે પ્લેઓફ સુધી પણ ન પહોંચીને આ રીતે કરોડોની કમાણી કરી ગઈ બાકીની ટીમ

શું IPL 2024માં નહીં રમે ધોની?
IPL પહેલા ધોનીને ડાબા ઘૂંટણમાં ઈજા પહોંચી હતી અને આ વખતની આખી સીઝન તે પાટો લગાવીને રમતો હતો. જો કે, ખૂબ જલ્દી તેની સર્જરી થવાની છે અને આ માટે પહેલા તે મુંબઈમાં સ્પોર્ટ્સ ઓર્થોપેડિક એક્સપર્ટનો મત જાણશે. આ વાત ફ્રેન્ચાઈઝીની સીઈઓ કાશી વિશ્વનાથે જણાવી હતી. વિશ્વનાથે કહ્યું હતું કે ‘હા, તે વાત સાચી છે કે પોતાના ડાબા ઘૂંટણની ઈજા માટે તે એક્સપર્ટની સલાહ લેવાનો છે અને તે બાદ નિર્ણય લેશે. જો સર્જરીની સલાહ આપવામાં આવે છે તો રિપોર્ટ બાદ જ જાણ થશે. તેમા પૂરી રીતે તેની મરજી હશે’. ધોની આગામી સીઝન ન રમવાનો નિર્ણય લે તેવી કોઈ શક્યતા છે કે શું તેમ પૂછવા પણ તેમણે કહ્યું હતું કે ‘સાચું કહું તો અમે તે દિશામાં વિચારી રહ્યા નથી કારણ કે અમે હજી પણ તે સ્થિતિમાં પહોંચ્યા નથી. આ પૂરી રીતે ધોનીનો નિર્ણય હશે. પરંતુ હું તમને સીએસકે તરફથી કહી શકું છું કે અમે આ વિશે વિચાર્યું નથી’. પાંચમી વખત ચેમ્પિયન બનેલા CSKના સેલિબ્રેશનના પ્લાનિંગ વિશે પૂછવા પર તેમણે જવાબ આપ્યો હતો કે ‘હું આ સફળતાથી ખુશ છું, પરંતુ કોઈ સેલિબ્રેશન નહીં થાય. ખેલાડીઓ અમદાવાદથી પોતાની આગામી ટુર માટે નીકળી ગયા છે. એમ પણ જોવા જઈએ તો અમારી ટીમ ભવ્ય ઉજવણી કરતું નથી’.

Read latest Cricket News and Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *