ધોનીને કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો?
તે સમયે મહેન્દ્ર સિંહ ધોનીને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કેમ મળી? તેનો ખુલાસો ભૂતપૂર્વ પસંદગીકાર ભૂપિન્દર સિંહ સિનિયરે કર્યો છે. એક અંગ્રેજી દૈનિકને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, ટીમમાં ઓટોમેટિક ચોઈસ હોવા ઉપરાંત તમે ખેલાડીના ક્રિકેટ કૌશલ્ય, બોડી લેંગ્વેજ, ફ્રન્ટથી લીડ કરવાની ક્ષમતા અને મેન મેનેજમેન્ટ સ્કીલ્સ પર ધ્યાન આપો છો. અમે રમત પ્રત્યે ધોનીનું વલણ તેમજ તેની બોડી લેંગ્વેજ અને તે અન્ય લોકો સાથે કેવી રીતે વાતચીત કરે છે તે જોયું હતું. અમને તેનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.
ધોનીની આગેવાનીમાં ભારતે ત્રણ ICC ટ્રોફી જીતી
ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ત્રણ વખત ICC ટ્રોફી જીતી હતી. 2007માં ટી20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમે ધોનીની કેપ્ટનશિપમાં 2011નો વર્લ્ડ કપ પણ જીત્યો હતો. ભારતે 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. પરંતુ ત્યારપછી ટીમ એક વખત પણ આઈસીસી ટાઈટલ જીતી શકી નથી.
ચાર ફાઈનલમાં હારી છે ટીમ ઈન્ડિયા
2013થી ભારતીય ટીમ ચાર વખત ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં હારી ચૂકી છે. આમાં ધોની એકમાં કેપ્ટન હતો. સુકાની પદ છોડ્યા બાદ વિરાટ કોહલી કેપ્ટન બન્યો હતો. તેમની કપ્તાની હેઠળ ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2017 અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021ની ફાઈનલમાં હારી ગઈ હતી. જ્યારે તાજેતરમાં જ રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હારી ગઈ હતી.