michael vaughan, ભારતના પરાજય સાથે જ ફોર્મમાં આવ્યો ભૂતપૂર્વ ઈંગ્લિશ કેપ્ટન, રોહિત સેનાને કહી સૌથી ખરાબ ટીમ - since winning 50 over world cup what have indian cricket team done says michael vaughan

michael vaughan, ભારતના પરાજય સાથે જ ફોર્મમાં આવ્યો ભૂતપૂર્વ ઈંગ્લિશ કેપ્ટન, રોહિત સેનાને કહી સૌથી ખરાબ ટીમ – since winning 50 over world cup what have indian cricket team done says michael vaughan


ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ગુરૂવારે રમાયેલી સેમિફાઈનલમાં ભારતીય ક્રિકેટ ટીમનો કારમો પરાજય થયો હતો. ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ સુકાની માઈકલ વોન ફોર્મમાં આવી ગયો છે. માઈકલ વોને ભારતીય ટીમની આકરી ટીકાઓ કરી છે અને કહ્યું છે કે ભારતીય ટીમ વ્હાઈટ બોલ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી ટીમ છે. તેણે કહ્યું હતું કે ભારતીય ટીમ જૂની શૈલીનું ક્રિકેટ રમી હતી. માઈકલ વોન ભારતીય ટીમની ટીકા કરવાની એક પણ તક છોડતો નથી. તેણે પોતાની એક કોલમમાં લખ્યું છે કે ભારત ઈતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી વ્હાઈટ બોલની ટીમ છે.

તેણે લખ્યું હતું કે, પ્રત્યેક ખેલાડી જે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા જાય છે, કહે છે કે તેનાથી તેની રમતમાં સુધારો થયો છે પરંતુ ભારતે તેનાથી શું હાંસલ કર્યું છે? 2011માં ઘરઆંગણે રમાયેલા વન-ડે વર્લ્ડ કપ જીત્યા બાદ તેણે શું કર્યું છે? કંઈ જ નહીં. ભારત વ્હાઈટ બોલમાં એવી જ જૂની શૈલીનું ક્રિકેટ રમી રહ્યું છે જે તેણે વર્ષોથી રમ્યું છે. આ સાથે વોને રિશભ પંતનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવા બદલ પણ ભારતીય ટીમ મેનેજમેન્ટની ટીકા કરી હતી.

તેણે લખ્યુ હતું કે, ભારતીય ટીમે રિશભ પંત જેવા ખેલાડીનો ભરપૂર ઉપયોગ કર્યો નથી. વર્તમાન સમયમાં તેને ટોચ પર રાખવો જોઈએ. વોને જણાવ્યું હતું કે, હું તે વાતથી આશ્ચર્યમાં છું કે તેની પાસે જે પ્રતિભા છે, તેમ છતાં તે કેવું ટી20 ક્રિકેટ રમે છે. તેમની પાસે ખેલાડીઓ છે પરંતુ તેમને રમાડવા માટેની યોગ્ય પ્રક્રિયા નથી. તેમણે હરીફ બોલર્સને દબાણ બનાવવા માટે પ્રથમ પાંચ ઓવર કેવી રીત આપી દીધી? તેણે ટીમમાં ઓલ-રાઉન્ડરની ઉણપનો પણ ઉલ્લેખ કર્યો હતો.

વોને કહ્યું હતું કે, તેની પાસે ફક્ત પાંચ જ બોલિંગ વિકલ્પ કેવી રીતે હોઈ શકે છે, જ્યારે 10-15 વર્ષ પહેલા ભારતના તમામ ટોચના બેટર્સ થોડી ઘણી બોલિંગ કરી શકતા હતા. સચિન તેંડુલકર, સુરેશ રૈના, વીરેન્દ્ર સહેવાગ અને સૌરવ ગાંગુલી પણ બોલિંગ કરતો હતો. કોઈ પણ બેટર બોલિંગ નથી કરતો તેથી સુકાની પાસે ફક્ત પાંચ જ વિકલ્પ હતા. ટીમ મેનેજમેન્ટને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને નહીં રમાડવાનો નિર્ણય પણ ભારે પડ્યો છે.

માઈકલ વોને સવાલ પૂછતા કહ્યું હતું કે, ટી20 ક્રિકેટના આંકડાથી આપણે બધા જાણીએ છીએ કે ટીમને એક સ્પિનરની જરૂર હોય છે જે બંને રીતે ટર્ન કરાવી શકે. ભારતીય ટીમ પાસે લેગ સ્પિનર છે. તે ક્યાં છે? ઝડપી બોલિંગના આગેવાન જસપ્રિત બુમરાહ અને સ્ટાર ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં ભારતીય બોલર્સે ઘણું ખરાબ પ્રદર્શન કર્યું છે. વોને કેપ્ટન રોહિત શર્માની રણનીતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *