કેન વિલિયમસન બહાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત ટાઈટન્સ અને ન્યૂઝીલેન્ડના અનુભવી ખેલાડી કેન વિલિયમસન ઈજાગ્રસ્ત થયો હોવાના કારણે IPL 2023માંથી બહાર થયો છે. જણાવી દઈએ કે, ચેન્નાઈ સામે ફિલ્ડિંગ કરતી વખતે વિલિયમસનને ઘૂંટણમાં ઈજા થઈ હતી. જેના કારણે તે બીજી ઈનિંગ્સમાં બેટિંગ માટે નહોતો આવી શક્યો. તેના સ્થાને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે સાઈ સુદર્શનને ટીમમાં લેવામાં આવ્યો હતો. કેન વિલિયમસનનું ટુર્નામેન્ટમાંથી બહાર થવું ગુજરાત ટાઈટન્સ માટે મોટો ઝટકો છે કારણકે તે એક મેચ વિનર ખેલાડી છે અને પોતાના બળે ગમે ત્યારે બાજી પલટી શકે છે. તે ઝડપથી રન ફટકારે છે અને સ્ટ્રાઈક રેટને રોટેટ કરવાનું પણ જાણે છે. જો મીડિયાના અહેવાલો સાચો ઠર્યા તો ગુજરાત ટાઈટન્સના ફેન્સ નિરાશ થઈ શકે છે.
ગુજરાતે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
કેન વિલિયમસનને ગત સીઝન પછી હૈદરાબાદે રિલીઝ કર્યો હતો. જેથી આઈપીએલ 2023 માટે કેનને પોતાનું નામ મિનિ ઓક્શનમાં આપ્યું હતું. ઓક્શન દરમિયાન ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેનને ગુજરાતે રૂપિયા બે કરોડમાં ખરીદ્યો હતો. તેના આઈપીએલ કરિયરની વાત કરીએ તો, 77 મેચમાં તેણે 36.22ની રનરેટથી બેટિંગ કરીને 2101 રન બનાવ્યા છે જેમાં 18 અડધી સદ ફટકારી છે.