Jaydev Unadkat, IND vs BAN: 12 વર્ષ બાદ Jaydev Unadkatનું કમબેક, ત્યારે દ્રવિડ હતા ખેલાડી, કોહલીનું તો ડેબ્યૂ પણ નહોતું થયું - ind vs ban comeback of jaydev unadkat creates record

Jaydev Unadkat, IND vs BAN: 12 વર્ષ બાદ Jaydev Unadkatનું કમબેક, ત્યારે દ્રવિડ હતા ખેલાડી, કોહલીનું તો ડેબ્યૂ પણ નહોતું થયું – ind vs ban comeback of jaydev unadkat creates record


ભારતીય ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે (Jaydev Unadkat) ગુરુવારે બાંગ્લાદેશ (IND vs BAN) સામેની બીજી ટેસ્ટ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ એક અનોખો રેકોર્ડ બનાવી લીધો. તે સૌથી વધારે ટેસ્ટ મેચમાં બહાર રહેવાનો ભારતીય ખેલાડી બન્યો. જયદેવે 2010માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને પોતાની બીજી ટેસ્ટ મેચ રમવામાં તેને 12 વર્ષનો સમય લાગી ગયો. ડાબોડી સ્પિનર કુલદીપ યાદવની (Kuldeep Yadav) જગ્યાએ તેને રાખવામાં આવ્યો છે, જેને ચટગાંવમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતની 188 રનની જીત બાદ ‘મેન ઓફ ધ મેચ’ તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો હતો.

જેઠની એનિવર્સરી પાર્ટીમાં ખૂબ નાચી નતાશા સ્ટેનકોવિક, પતિ હાર્દિક પંડ્યા સાથે કર્યું ટ્વિનિંગ

ત્યારે રાહુલ દ્રવિડ કોચ નહીં પ્લેયર હતા
જયદેવ ઉનડકટે 12 વર્ષ પહેલા 16 ડિસેમ્બર, 2010ના રોજ સાઉથ આફ્રિકા સામે સેંચુરિયન ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તે સમયે રાહુલ દ્રવિડ કોચ નહીં પરંતુ પ્લેઈંગ ઈલેવનનો ભાગ ગતા. વિરાટ કોહલીએ ત્યારે ડેબ્યૂ પણ નહોતું કર્યું. હવે તેણે 2010 બાદ 118 મેચોમાંથી બહાર રહ્યા બાદ ટીમમાં વાપસી કરી છે. આ ભારત તરફથી એક રેકોર્ડ છે જ્યારે વર્લ્ડ ક્રિકેટમાં સૌથી વધારે ટેસ્ટ મેચોમાં બહાર રહેનારા ખેલાડીઓના લિસ્ટમાં તે બીજા સ્થાન પર આવ્યો છે. પહેલા નંબર પર ઈંગ્લેન્ડનો ગેરેથ બેટી છે, જેણે બીજી ટેસ્ટ મેચ રમવા 142 મેચ સુધી રાહ જોવી પડી હતી.

યોગરાજે જણાવી અર્જુન તેંડુલકર સાથે બનેલી એક ઘટના, કેવી રીતે પિતા સચિનની યાદ અપાવી હતી

ઘરેલુ ક્રિકેટમાં કમાલ
– 2019-20માં પહેલીવાર કેપ્ટનશિપ કરતાં સૌરાષ્ટ્રને રણજી ચેમ્પિયન બનાવ્યું. આ સીઝનમાં તેણે 67 વિકેટ લીધી હતી.
– 2022-23 વિજય હઝારે ટ્રોફીમાં પણ કેપ્ટન ઉનડકટે ટ્રોફી જીતી હતી. આ ટુર્નામેન્ટમાં તેણે 10 મેચમાં 19 વિકેટ લીધી હતી.
– 2015-16થી અત્યારસુધીમાં 58 મેચમાં 241 વિકેટ લીધી છે
– આઈપીએલ 2017માં 12 મેચમાં 24 વિકેટ તેના નામે છે

જયદેવ ઉનડકટનું ડ્રીમ કમબેક
ડાબોડી બોલર જયદેવ ઉનડકટે બાંગ્લાદેશના ખેલાડીને પરેશાનીમાં મૂકી દીધા અને પહેલી ટેસ્ટ મેચમાં સદી ફટકારનારા ઝાકિર હસનની વિકેટ લીધી. ભારતીય કેપ્ટન કેએલ રાહુલે સિરાજ અને ઉમેશ યાદવથી બોલિંગની શરૂઆત કરવી અને નવમી ઓવરમાં બોલિંગ બદલાવ માટે ઉનડકટને સોંપી. આ ઝડપી બોલરે છવાયેલા વાદળાનો પૂરો લાભ ઉઠાવ્યો અને શંટો તેમજ ઝાકિર બંનેને પોતાની અંદર આવતા બોલથી પરેશાન કર્યા. ઉનડકટે 14મી ઓવરના પાંચમા બોલમાં ઝાકિરને આઉટ કર્ઓ. બેટ્સમેને કટ કરવાના પ્રયાસમાં પોઈન્ટ પર રહેલા કેએલ રાહુલે સરળતાથી કેચ કરી લીધો

Read Latest Cricket News And Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *