Javed Miandad: જાવેદ મિયાંદાદે કેમ ફરી ભારત સામે ઓક્યું ઝેર? કહ્યું પાકિસ્તાનને કોઈ ફરક પડતો નથી - javed miandad made provocative statement against india

Javed Miandad: જાવેદ મિયાંદાદે કેમ ફરી ભારત સામે ઓક્યું ઝેર? કહ્યું પાકિસ્તાનને કોઈ ફરક પડતો નથી – javed miandad made provocative statement against india


ક્વેટાઃ એશિયા કપની યજમાની છીનવી લેતા પાકિસ્તાન ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે. દેશના પૂર્વ ક્રિકેટરો ભારત વિરૂદ્ધ કેટલાક બેફામ નિવેદનો કરી રહ્યા છે. ત્યારે આવું જ એક ઝેરી નિવેદન પાકિસ્તાનના પૂર્વ ખેલાડી જાવેદ મિયાંદાદે આપ્યું છે. જાવેદ મિયાંદાદે બીસીસીઆઈ પર નિશાન સાધતા કહ્યું છે કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનથી ડરે છે. એટલા માટે તે તેની સામે રમવા માંગતી નથી. પાકિસ્તાન સુપર લીગની એક પ્રદર્શની મેચ બાદ મિયાંદાદે આ નિવેદન આપ્યું હતું. મિયાંદાદે કહ્યું કે ‘જો ભારત એશિયા કપ રમવા માટે પાકિસ્તાન ન આવવા માંગતું હોય તો ન આવે. PCBએ હવે ક્રિકેટ માટે ભારત પર બિલકુલ નિર્ભર ન રહેવું જોઈએ. જાવેદ મિયાંદાદે વધુ કહ્યું કે ‘ભારત પાકિસ્તાન સામે રમવાથી કેમ ડરે છે? તેઓ જાણે છે કે જો તેઓ પાકિસ્તાન સામે હારી જશે તો જનતા તેમને છોડશે નહીં. ત્યાંના વડા પ્રધાન ગાયબ થઈ જશે, તેમના લોકો તેમને છોડશે નહીં.

પાકિસ્તાને પણ ભારતના પ્રવાસે જવાનો કર્યો ઈન્કાર
તમને જણાવી દઈએ કે પાકિસ્તાન આ વર્ષે એશિયા કપની મેજબાની કરવાનું હતું પરંતુ BCCI સેક્રેટરી જય શાહે એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે ભારત કોઈપણ કિંમતે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા જશે નહીં. આવી સ્થિતિમાં ભારતીય ટીમની ગેરહાજરીને કારણે ટૂર્નામેન્ટનું કોઈ મહત્વ રહેશે નહીં. જોકે તે જ સમયે તેના જવાબમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ ભારતને ધમકી આપી હતી અને કહ્યું હતું કે જો તે એશિયા કપ માટે અમારી પાસે નહીં આવે તો અમે પણ વનડે વર્લ્ડ કપ માટે ભારત નહીં જઈએ.

એશિયા કપ 2023 તટસ્થ સ્થળે યોજાશે
એશિયા કપ 2023 તટસ્થ સ્થળે યોજવાનું લગભગ નિશ્ચિત છે. હાલમાં જ એશિયન ક્રિકેટ કાઉન્સિલની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જય શાહ ઉપરાંત PCBના અધ્યક્ષ નજમ સેઠીએ પણ ભાગ લીધો હતો. જો કે આ બેઠકનું કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આગામી મહિને એટલે કે માર્ચમાં એશિયા કપના નવા સ્થળની જાહેરાત થઈ શકે છે.

પાકિસ્તાનને મોટું નુકસાન થશે
જો એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં નહીં થાય તો તેને મોટું નુકસાન વેઠવું પડશે. કારણ કે આનાથી પાકિસ્તાનમાં ક્રિકેટ માટે નવા યુગની શરૂઆત તો થશે જ પરંતુ તેનાથી દેશની અર્થવ્યવસ્થા પણ મજબૂત થઇ શકે તેમ હતી. જે અત્યારે ખૂબ જ ખરાબ હાલતમાં છે. જોકે તે જ સમયે એશિયા કપના સ્પોન્સરનું કહેવું છે કે જો ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે તો તે સ્પોન્સરશીપ પાછી ખેંચી લેશે. કારણ કે જો ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય તો એશિયા કપની રોમાંચકમાં ફેર પડી શકે છે અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ ટૂર્નામેન્ટની લોકપ્રિયતા પર કોઈ નકારાત્મક અસર કરવા ઈચ્છતી નથી.

Read Latest Sports News And Gujarat News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *