ipl 2023, IPL 2023: દિગ્ગજ ક્રિકેટરના મતે ટીમ ઈન્ડિયાને મળ્યા બે મોટા હીરો, રોહિત-વિરાટ જેવી જામશે જોડી - ipl 2023 two next big things of indian cricket uthappa heaps praise on shubman gill and yashasvi jaiswal

ipl 2023, IPL 2023: દિગ્ગજ ક્રિકેટરના મતે ટીમ ઈન્ડિયાને મળ્યા બે મોટા હીરો, રોહિત-વિરાટ જેવી જામશે જોડી – ipl 2023 two next big things of indian cricket uthappa heaps praise on shubman gill and yashasvi jaiswal


એક સમય હતો જ્યારે ટીમ ઈન્ડિયામાં સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની બોલબાલા હતી. તે પછી સચિન-સેહવાગનો સમય આવ્યો. જ્યારે વર્તમાન તબક્કો રોહિત શર્મા અને વિરાટ કોહલીનો છે. હવે આ યાદીમાં ઓપનર શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલના નવા નામ જોડાઈ શકે છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાનું માનવું છે કે આ યુવાનો બેટ્સમેનો ભારતીય ક્રિકેટના ભાવિ હીરો છે.

વર્તમાન આઈપીએલમાં સૌથી વધુ રન નોંધાવનારા ખેલાડીઓમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ટોચ પર છે. તેણે અત્યાર સુધી કુલ 631 રન નોંધાવ્યા છે. જ્યારે ત્યારબાદ શુભમન ગિલ છે જેણે 576 રન નોંધાવ્યા છે. 575 રન સાથે યશસ્વી જયસ્વાલ ત્રીજા ક્રમે છે. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ બંનેએ વર્તમાન ટુર્નામેન્ટમાં એક સદી ફટકારી છે. જોકે, સ્ટ્રાઈક-રેટના મામલે જયસ્વાલ ગિલ કરતા આગળ છે. રોબિન ઉથપ્પાએ શુભમન ગિલની પ્રશંસા કરતા કહ્યું હતું કે, હું ચોક્કસપણે શુભમન ગિલમાં વિરાટ કોહલી અથવા સચિન તેંડુલકર જેવો મોટો ખેલાડી બનવાની ક્ષમતા જોઉં છું.

તેણે કહ્યું હતું કે, મને ચોક્કસપણે લાગે છે કે તેને ઝનૂન છે, તે એક અસાધારણ ખેલાડી છે જે જબરદસ્ત ફોર્મમાં છે અને આ સમયે શાનદાર ક્રિકેટ રમી રહ્યો છે. હું ચોક્કસપણે અનુભવું છું અને વ્યક્તિગત રીતે માનું છું કે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ભારતીય ક્રિકેટના આગામી બે મોટા હીરો છે. 2024 મેન્સ ટી20 વર્લ્ડ કપને હજુ એક વર્ષથી વધુ સમય બાકી છે. ત્યારે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ બંને ભારતની ઓપનિંગ જોડી હોવાનો મજબૂત દાવો કરી રહ્યા છે.

રસપ્રદ વાત એ છે કે IPL 2023માં રોહિતનું પ્રદર્શન સારું નથી. તેણે 13 ઈનિંગ્સમાં 19.77ની એવરેજ અને 131.12ના સ્ટ્રાઈક રેટથી 257 રન નોંધાવ્યા છે, જેમાં તેના નામે માત્ર એક અડધી સદી છે. જો આ બંને યુવા ખેલાડીઓ આવા સમયમાં સારું પ્રદર્શન કરે તો તે ભારતીય ટીમના ભવિષ્ય માટે સારું છે. જોકે, ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આઈપીએલ ટ્રોફી જીતનાર ઉથપ્પા કહે છે કે રોહિત શર્માને બ્રેક લેવાની જરૂર નથી.

IPL 2023 પછી ભારતીય ટીમમાં કોઈ મોટા ફેરફાર જોવા મળશે કે નહીં તે અંગે પૂછવામાં આવતા ઉથપ્પાએ કહ્યું હતું કે આ વર્ષના વર્લ્ડ કપ પછી સેટઅપમાં કોઈ ફેરફાર થઈ શકે છે. ભારતીય ક્રિકેટના મારા અનુભવ પરથી કહું તો ટીમ અનુભવી ખેલાડીઓ સાથે જશે કારણ કે આઈસીસી ટુર્નામેન્ટ (વન-ડે વર્લ્ડ કપ)માં વધારે સમય બાકી રહ્યો નથી તેવામાં મોટા ફેરફારો કરવા તે યોગ્ય નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *