indian team world cup, ભારત સામે હારવાનું આ કેવું બહાનું? વર્લ્ડ કપ પહેલાં પૂર્વ પાકિસ્તાની કેપ્ટને આપી ચેતવણી - pakistan captain controversial statement

indian team world cup, ભારત સામે હારવાનું આ કેવું બહાનું? વર્લ્ડ કપ પહેલાં પૂર્વ પાકિસ્તાની કેપ્ટને આપી ચેતવણી – pakistan captain controversial statement


નવી દિલ્હીઃ પાકિસ્તાનને ભારત વિરૂદ્ધ સતત 12 વર્લ્ડ કપ મેચમાં હાર મળી હતી. 2021માં આ સિલસિલો સમાપ્ત થયો હતો કે જે 1992થી શરૂ થયો હતો. ઉલ્લેખનીય છે કે T20 વર્લ્ડ કપમાં દુબઈના મેદાન પર પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવી મેચ જીતી હતી. પાકિસ્તાન માટે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને 152 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. આ વર્લ્ડ કપમાં ભારત વિરૂદ્ધ પાકિસ્તાનની ઐતિહાસિક જીત હતી. જોકે 2022 T20 વર્લ્ડ કપમાં ફરી એકવાર ભારતે બાજી મારી લીધી હતી. હવે વનડે વર્લ્ડ કપ 2023માં બંને ટીમો વચ્ચે આપસમાં ટક્કર થશે. આ મેચ પહેલા પાકિસ્તાનનાં પૂર્વ કેપ્ટન વકાર યૂનુસે કહ્યું હતું કે ભારત વિરૂદ્ધ મેચમાં પ્રેશર ક્યારેય મુશ્કેલીમાં મુકતું નથી. તેમનું માનવું છે કે પાકિસ્તાન ચોક કરી જાય છે.વકાર યુનુસે કેવી ચેતવણી આપી દીધી
ક્રિકેટ પાકિસ્તાન સાથે ચર્ચા વિચારણા કરતા પૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનુસે કહ્યું કે અમારા સમયમાં પ્રેશર એટલી મોટી ચિંતાનો વિષય જ નહોતો જેટલો અત્યારે છે. તમે જેટલું ટીમ વિરૂદ્ધ રમો છો તે એટલી જ મોટી ટીમ બની જાય છે. જો ભારત અને પાકિસ્તાનની મેચ હોય તો પ્રેશર ત્રણ ગણુ વધી જાય છે. શરૂઆતના સમયગાળમાં અમે ઘણી મેચ રમતા હતા એટલે અમને એટલું પ્રેશર નહોતું લાગતું પરંતુ અત્યારે લાગી રહ્યું છે.

વકારે કહ્યું કે અમે વર્લ્ડ કપમાં ભારત વિરૂદ્ધ નર્વસ થઈ જઈએ છીએ. છતાં પણ જેવું મેં કહ્યું કે અત્યારે ખેલાડીઓ પર પ્રેશર વધતુ જાય છે તેને કેવી રીતે ટેકલ કરવું એ મોટો પ્રશ્ન છે. અમારી પાસે મેચ વિનર્સ છે જે અમને જિતાડશે.

પાકિસ્તાનનો મેચ વિનર કોણ હશે?
પાકિસ્તાનની ટીમ એશિયા કપ કે આઈસીસી ઈવેન્ટ્સમાં જ પાકિસ્તાન સામે રમે છે. વકાર યુનિસ, જેણે 2003 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની કેપ્ટનશીપ કરી હતી, તેણે સ્વીકાર્યું કે બાબરની આગેવાની હેઠળની ટીમે પ્રેશરને નિયંત્રિત કરવામાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે ચાર ગેમ-ચેન્જર્સનું નામ પણ આપ્યું છે જે આગામી વર્લ્ડ કપમાં પાકિસ્તાન માટે ભૂમિકા ભજવી શકે છે.

તેણે કહ્યું- અમારી પાસે મેચ વિનિંગ ખેલાડીઓ છે. એવા ખેલાડીઓ છે જેઓ એકલા હાથે અમને મેચ જીતાડી શકે છે, જેમાં બાબરનો પણ સમાવેશ થાય છે. શાહીન-ફખર અજાયબી કરી શકે છે. અમે ઇમામને શાનદાર ઇનિંગ રમતા જોયો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *