india vs bangladesh 2nd test 2022, મીરપુરમાં બાંગ્લાદેશ સામે ભારતે કેવી રીતે હારની બાજી જીતમાં પલટી? જાણો આ ચાર કારણો - india vs bangladesh 2nd test ashwin and shreyas iyer help india to win

india vs bangladesh 2nd test 2022, મીરપુરમાં બાંગ્લાદેશ સામે ભારતે કેવી રીતે હારની બાજી જીતમાં પલટી? જાણો આ ચાર કારણો – india vs bangladesh 2nd test ashwin and shreyas iyer help india to win


ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ જીતી લીધી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ બે મેચની સીરિઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે. જોકે, બીજી ટેસ્ટ જીતવા માટે ભારતે ઘણી મહેનત કરવી પડી હતી. ભારતને જીતવા માટે 145 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને બાંગ્લાદેશી બોલર્સે તરખાટ મચાવી દીધો હતો. એક સમયે બાંગ્લાદેશ જીતવાની સ્થિતિમાં આવી ગયું હતું. અંતે ભારતે ત્રણ વિકેટે મેચ જીતી લીધી હતી. મેચના ત્રીજા દિવસના અંતે ભારતે 45 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ચોથા દિવસે ભારતીય ટીમ મેદાનમાં ઉતરી તે સાથે જ વિકેટનું પતન શરૂ થઈ ગયું હતું. 74 રનમાં ભારતે સાત વિકેટ ગુમાવી દીધી હતી.

પરંતુ બાદમાં રવિચંદ્રન અશ્વિન અને શ્રેયસ ઐય્યરે બાજી સંભાળી હતી અને ટીમને જીત અપાવી હતી. અશ્વિન અને ઐય્યરે ધીરજપૂર્વક બેટિંગ કરી હતી અને ભારતને જીત અપાવી હતી. અશ્વિને અણનમ 42 રન નોંધાવ્યા હતા જ્યારે શ્રેયસ ઐય્યર 29 રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. તેવામાં આપણે જોઈએ કે કેવી રીતે ભારતે હારની બાજી જીતમાં પલટી દીધી.

રવિચંદ્રન અશ્વિન અને શ્રેયસ ઐય્યરની અતૂટ ભાગીદારી
એક તરફ ભારતીય ટીમની વિકેટો ફટાફટ પડી રહી હતી ત્યારે બીજી તરફ અશ્વિન અને શ્રેયસ ઐય્યરની જોડીએ અત્યંત ધીરજપૂર્વક બેટિંગ કરી હતી અને ક્રિઝ પર ટકી રહ્યા હતા. શરૂઆતમાં બંનેએ વિકેટ જાળવી રાખીને ધીમી બેટિંગ કરી હતી. પરંતુ જેવો ટીમનો સ્કોર 100 રનની પાર પહોંચ્યો તે સાથે જ તેમણે બાંગ્લાદેશી બોલર્સને ભૂલો કરવા મજબૂર કરી દીધા હતા અને પોતાની ભાગીદારી મજબૂત બનાવી હતી. તેમણે 104 બોલમાં 71 રનની અતૂટ ભાગીદારી નોંધાવીને ટીમને જીત અપાવી હતી.

અક્ષર પટેલની દમદાર રમત
લક્ષ્યાંકનો પીછો કરતા જ્યારે ટીમ ઈન્ડિયાએ શરૂઆતની ત્રણ વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. અક્ષર પટેલને નાઈટ વોચમેન તરીકે વિરાટ કોહલી અને રિશભ પંત કરતા પહેલા બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો. આ નિર્ણયને લઈને સુકાની અને કોચની ટીકા પણ થઈ હતી પરંતુ અક્ષર પટેલે તેને જે જવાબદારી સોંપવામાં આવી હતી તે યોગ્ય રીતે નીભાવી હતી. તેણે બાંગ્લાદેશના સ્પિનર્સનો મજબૂત રીતે સામનો કર્યો હતો. તેણે બીજા દાવમાં 34 રનની મહત્વની ઈનિંગ્સ રમી હતી.

શ્રેયસ ઐય્યરની શાનદાર બેટિંગ
ભારતની આ જીતમાં શ્રેયસ ઐય્યરે પણ મજબૂતીથી બેટિંગ કરી હતી. તેણે પ્રથમ દાવમાં પણ 87 રનની ઈનિંગ્સ રમી હતી. ત્યારબાદ ટાર્ગેટ પાર પાડતી વખતે પણ તેણે ધીરજપૂર્વક બેટિંગ કરીને અશ્વિન સાથે મળીને ટીમને ઉગારી લીધી હતી. તેણે અશ્વિનને પણ રન નોંધાવવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.

અશ્વિનનું ઓલ-રાઉન્ડ પ્રદર્શન
અશ્વિને લક્ષ્યાંક પાર પાડતા સારી બેટિંગ તો કરી જ હતી પરંતુ તે પહેલા બોલિંગમાં પણ કમાલ કરી હતી. અશ્વિને પ્રથમ દાવમાં ચાર વિકેટ પોતાના નામે કરી હતી જ્યારે બીજા દાવમાં બે વિકેટ ઝડપી હતી. બીજા દાવમાં તેણે શાનદાર બેટિંગ કરતા અણનમ 42 રન ફટકાર્યા હતા. અશ્વિનને તેના આ ઓલ-રાઉન્ડ પ્રદર્શનના કારણે મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *