પોતાની T20 કારકિર્દી અંગે રોહિત શર્માએ આપ્યું મોટું નિવેદન
સૂર્યકુમાર યાદવ પણ થશે બહાર?
સૂર્યકુમાર યાદવે શ્રીલંકા સામેની ટી20 સીરિઝની અંતિમ મેચમાં સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ તે પણ વનડેના પ્લેઈંગ ઈવેલનમાંથી બહાર થતો જોવા મળી રહ્યો છે. રોહિત શર્માની સાથે શુભમન ગિલ ઈનિંગની શરૂઆત કરશે. ત્રીજા નંબર પર વિરાટ કોહલી બેટિંગ કરવા માટે ઉતરશે જ્યારે ચોથા નંબર પર ગત વર્ષે વનડેમાં સૌથી વધારે રન બનાવનારો શ્રેયસ અય્યર છે. ઈશાન કિશનના બદલે કેએલ રાહુલ વિકેટકીપરની ભૂમિકામાં જોવા મળશે. રાહુલ નંબર 5 પર રમવા આવી શકે છે. ટીમના ટોપ-5 બેટ્સમેનમાં કોઈ જ બોલિંગ કરતું નથી. તેવામાં ભારત છઠ્ઠા સ્થાન પર બોલરને રાખે છે તો સૂર્યકુમાર યાદવનું બહાર થવાનું નક્કી છે.
જસપ્રિત બુમરાહ છે કે મૂડ… જ્યારે દેખો ત્યારે ખરાબ થઈ જાય છે!
બોલરમાં આ હોઈ શકે છે વિકલ્પ
ઓલરાઉન્ડ ખેલાડી હાર્દિક પંડ્યાની સાથે અક્ષર પટેલ જોવા મળી શકે છે. અક્ષરે ટી20 સીરિઝમાં કમાલ કરી હતી. આ બંને ટીમ માટે ફિનિશરની ભૂમિકા ભજવશે. ફાસ્ટ બોલિંગમાં મહોમ્મદ શમી, મહોમ્મદ સિરાજ અને ઉમરાન મલિકને તક મળી શકે છે. તેવામાં અર્શદીપ સિંહ બેચ પર બેસી શકે છે. તો પ્રમુખ સ્પિનર તરીકે યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપમાં કોઈ એકને તક મળી શકે છે. અહીંયા ચહલ મજબૂત દાવેદાર છે.
ભારતના સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, મહોમ્મદ શમી, ઉમરાન મલિક, મહોમ્મદ સિરાજ
Read Latest Cricket News And Gujarati News