રિષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાં ન લેવા પર એક યુઝર કેપ્ટન રોહિત શર્મા પર પોતાનો ગુસ્સો બતાવ્યો હતો. તેનું માનવું છે કે, આ વર્ષે પંતનું પ્રદર્શન દિનેશ કાર્તિક કરતા ઘણું સારું રહ્યું છે, પરંતુ તેમ છતાં તેને પાકિસ્તાન સામે તક મળી નથી. ટ્વિટર પર અન્ય એક યુઝરે લખ્યું કે, પંતને ન રમાડવો ભારત માટે મોંઘુ સાબિત થઈ શકે છે. પંત કોઈપણ મેચમાં એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે. ઋષભ પંતના ટીમમાં ન હોવાના કારણે એક યુઝરે લખ્યું કે, દક્ષિણ આફ્રિકા સામે ટીમની કેપ્ટનશીપ અને એશિયા કપમાં ટીમમાંથી બહાર થઈ ગયા, પરંતુ જ્યારે પણ પંતને બહાર કરવામાં આવે છે, ત્યારે દુનિયાએ જોયું છે કે તે કેવું કમબેક કરશે.
એક યુઝરે લખ્યું, ‘ભારતને આની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે.’ કેટલાક યુઝર્સ ટીમમાંથી રિષભ પંતની ગેરહાજરીનો આનંદ પણ લઈ રહ્યા છે. એક ચાહકે લખ્યું કે, શુભ રાત્રી, જાઓ અને સારી રીતે સૂઈ જાઓ. એક યુઝરે ઉર્વશી રૌતેલાની તસવીર પોસ્ટ કરી અને લખ્યું, ‘હાલની સૌથી ખુશ વ્યક્તિ.’
તમને જણાવી દઈએ કે, મેચમાં ટોસ દરમિયાન રોહિત શર્માએ ઋષભ પંતની પસંદગી પર કહ્યું, ‘મને નથી લાગતું કે ટોસ એટલો મહત્વપૂર્ણ છે. અમે અહીં માત્ર સારું ક્રિકેટ રમવા આવ્યા છીએ. અમે અહીં આઈપીએલમાં રમ્યા છીએ, તેથી આશા છે કે પિચ સારી હશે. તેણે કહ્યું, ‘દિનેશ અને રિષભ વચ્ચે પસંદગી કરવી મુશ્કેલ નિર્ણય હતો. ઋષભને બહાર રાખવો પડ્યો. આવેશે ત્રીજા સીમર તરીકે સ્થાન મેળવ્યું છે. અમારા માટે આ મહત્વપૂર્ણ રમત છે, પરંતુ ક્રિકેટર તરીકે અમે વિપક્ષ વિશે વિચારવા માંગતા નથી. અમે જે પણ ભૂલો કરી રહ્યા છીએ, અમે તેને સુધારવા માંગીએ છીએ. અમે પહેલા બોલિંગ કરી રહ્યા છીએ.