ભારત સામેની સીરિઝના બે દિવસ પહેલાં ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, વિશ્વ વિજેતા કેપ્ટને લીધો સંન્યાસ
દિનેશ કાર્તિકના પ્લેઈંગ ઈલેવનમાં આ ખેલાડીને સ્થાન નહીં
દિનેશ કાર્તિકના પ્લેઈંગ ઈલેવનમાં વિરાટ કોહલીની સાથે બેટિંગને મજબૂતી આપવા માટે સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટી20 અને વનડે બાદ સૂર્યાની પાસે હવે ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક છે. તો વિકેટકીપિંગની જવાબદારી કેએસ ભરતની પાસે હશે. જો કે, ઈશાન કિશન પણ વિકલ્પ હતો. પરંતુ કાર્તિકની ટીમમાં તેની જગ્યા નથી બની રહી. આ સિવાય આર અશ્વિન પણ પોતાની સ્પિન બોલિંગથી ટીમ ઈન્ડિયાને બેટિંગમાં પણ મદદ કરશે. નાગપુરના આ ટર્નિંગ ટ્રેક પર અશ્વિને પણ ખાસ તૈયારી કરી છે. તેવામાં અશ્વિન સામે ઓસ્ટ્રેલિયાની ટીમ કેવી રીતે રમશે તે પણ જોવું રહેશે.
તો શું ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે વિકેટ લેવાનો હરભજનનો રેકોર્ડ તોડશે આર.અશ્વીન?
ટેસ્ટ સીરિઝથી જાડેજાનું કમબેક
રવિન્દ્ર જાડેજા પણ લગભગ છ મહિના બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે તૈયાર છે. જાડેજા એશિયા કપ 2022 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે ટી20 વર્લ્ડ કપમાં રમી શક્યો નહોતો. જાડેજા ન માત્ર બોલિંગ પરંતુ ટેસ્ટમાં પણ શાનદાર બેટિંગથી વિરોધી ટીમ માટે માથાનો દુખાવો બની શકે છે. ટીમમાં ત્રીજા ઓલરાઉન્ડરની ભૂમિકા અક્ષર પટેલ નિભાવશે. અક્ષર પટેલને ઓસ્ટ્રેલિયા સામે કાર્તિકે ભારતીય ટીમના પ્લેઈંગ ઈવેલનમાં રાખ્યો છે. તો બોલિંગમાં અન્ય બે વિકલ્પ મહોમ્મદ શમી અને મહોમ્મદ સિરાજ છે. આ બંને પાસે કાંગારુ ખેલાડીઓને બોલિંગથી પરેશાન કરવાની જવાબદારી હશે.
દિનેશ કાર્તિકની સંભવિત પ્લેઈંગ ઈલેવન
કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), આર અશ્વિન, અક્ષર પટેલ, મહોમ્મદ શમી અને મહોમ્મદ સિરાજ
Read latest Cricket News and Gujarati News