ind vs aus test, IND vs AUS: હાર બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને Sunil Gavaskarએ લગાવી ફટકાર, કહ્યું 'પહેલાથી જ પિચ હાવી થવા દીધી હતી' - here is what sunil gawaskar said to team india after loss against australia in 3rd match

ind vs aus test, IND vs AUS: હાર બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને Sunil Gavaskarએ લગાવી ફટકાર, કહ્યું ‘પહેલાથી જ પિચ હાવી થવા દીધી હતી’ – here is what sunil gawaskar said to team india after loss against australia in 3rd match


ઈન્દોરઃ બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝની (Border–Gavaskar Trophy) ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ખરાબ પ્રદર્શન માટે પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કર ટીમ ઈન્ડિયાની (IND vs AUS) નિંદા કરી હતી. ઈન્દોર ટેસ્ટ બાદ ગાવસ્કરે કહ્યું હતું કે ‘તેમના મગજમાં પીચ હાવી થઈ ગઈ છે’. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે ‘બેટ્સમેનો હકીકતમાં પોતાની પ્રતિભાને ન્યાય આપી શક્યા નહીં. જો તમે ભારતીય વિકેટ પતનને જોશો તો તમે કહી શકશો કે બેટ્સમેનોએ પોતાની ભૂલથી વિકેટ ગુમાવી હતી. તેઓ કેટલાક એવા શોટ્સ રમી રહ્યા હતા જેના પરથી લાગી રહ્યું હતું કે, પહેલાથી તેમણે અનુમાન લગાવી દીધું હતું કે પિચથી બોલ કઈ રીતે જશે’.

ત્રીજી ટેસ્ટઃ અશ્વિનને અકળાવવા લાબુશેન કરી રહ્યો હતો અવળચંડાઈ, અમ્પાયરે આપ્યો ઠપકો

સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાની કરી નિંદા
સુનીલ ગાવસ્કરે તેમ પણ કહ્યું હતું કે ‘ભારતીય બેટ્સમેનોમાં આત્મવિશ્વાસની કમી હતી તે તેમને જોઈને જ લાગતું હતું. કારણ કે, રોહિત શર્મા સિવાય પહેલી બે મેચમાં તેમણે રન બનાવ્યા નહોતા. રોહિતે નાગપુરમાં શાનદાર સદી ફટકારી હતી. જ્યારે તમારા ખાતામાં ઓછા રન હોય તો, બેટિંગમાં થોડી અસ્થિરતા આવે છે. તેઓ પિચ પર બોલ પાસે પહોંચી નહોતા શકતા. તેમણે પિચને પોતાના પર હાવી થવા દીધી હતી. આ એવી પિચ હતી જે હકીકતમાં પહેલી ઈનિંગમાં જ તેમના મગજ પર હાવી થવા લાગી હતી. બીજી ઈનિંગમાં તેની અસર વધારે જ હતી’.

IND vs AUS: કેમ હારી ટીમ ઈન્ડિયા? કેપ્ટન રોહિતે જણાવ્યું કારણ, મેચ બાદ વ્યક્ત કર્યો ગુસ્સો

WTSના ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ બનાવી જગ્યા
જણાવી દઈએ કે, પહેલા જ બોલમાં સ્પિનરોની મદદગાર પિચ પર ભારતીય ખેલાડીઓ બંને ઈનિંગમાં માત્ર 109 અને 163 રન જ બનાવી શક્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આ મેચને ત્રીજા જ દિવસે નવ વિકેટથી જીતીને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. હજી એક મેચ બાકી છે, જે 9 માર્ચથી અમદાવાદમાં રમાવાની છે. હવે ભારતની તમામ આશા આ ટેસ્ટ પર ટકેલી છે. જો ટીમ અમદાવાદ ટેસ્ટ મેચમાં જીત મેળવી લેશે તો તેમના માટે ડબલ્યૂટીસીના ફાઈનલમાં પહોંચવાની આશા બનેલી રહેશે. ચાર મેચોની આ સીરિઝમાં ભારતીય ટીમે નાગપુરમાં ઓસ્ટ્રેલિયાને 132 રનથી હરાવ્યું હતું. તો દિલ્હી ટેસ્ટમાં યજમાન ટીમે 6 વિકેટથી જીત મેળવી હતી.

Read latest Cricket News and Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *