ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન મેચ રેફરીએ હોલ્કર સ્ટેડિયમને ખરાબ રેટિંગ આપ્યું હતું. ઈન્દોર ટેસ્ટની પિચને લઈને છેલ્લાં કેટલાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે બીસીસીઆઈ આઈસીસીની કાર્યવાહીને ચેલેન્જ કરી શકે છે. નિયમ મુજબ, અપીલ કરવા માટે હવે 14 દિવસનો સમય જ બાકી રહી ગયો છે. ત્યારે બીસીસીઆઈનું કહેવું છે કે, નિરીક્ષણ કર્યા બાદ જ તેઓ કોઈ નિર્ણય લેશે.