IND vs SL: સદી ફટકાર્યા બાદ કોહલીએ કહી મહત્વની વાત, દરેક ખેલાડીએ છે શીખવા જેવું
હાર્દિક પર ગુસ્સે થયો કોહલી
ઘટના 43મી ઓવરની છે. કુસન રજિથાના ત્રીજા બોલ પર વિરાટ કોહલી હળવા હાથથી ઓન સાઈડમાં રમ્યો હતો. તેણે ઝડપથી એક રન લીધો હતો. તે બીજા રન માટે લગભગ અડધી પીચ સુધી આવી ગયો હતો પરંતુ હાર્દિક પંડ્યાએ તેને પરત મોકલી દીધો. તે ક્રીઝ બહાર પણ ન નીકળ્યો. પંડ્યાની આ હરકત કોહલીને સહેજ પણ પસંદ આવી નહોતી અને ગુસ્સામાં તેની તરફ ઘૂરવા લાગ્યો હતો. કોહલીના તે સમયે 81 રન થયા હતા અને 45મી સદીની નજીક હતો. આ કારણથી તેનું ધ્યાન ભટકી ગયું હતું અને ઓવરના અંતિમ બોલમાં પણ તે કેચ આઉટ થવાનો હતો પરંતુ બચી ગયો. તેનો કેચ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ છોડ્યો હતો.
IND vs SL: બોલ છે કે બંદૂકની ગોળી… સ્પીડનો ‘કિંગ’ બન્યો Umran Malik, બેટ્સમેન ધ્રૂજ્યા
રેકોર્ડ મામલે કોહલીએ સચિનને આપી ટક્કર
વનડેમાં 45મી સદી ફટકારવાની સાથે વિરાટ કોહલીએ માસ્ટર બ્લાસ્ટર તરીકે જાણીતા સચિન તેંડુલકરને શ્રીલંકા સામે સૌથી વધારે સદી ફટકારવાના મામલે પાછળ છોડી દીધા છે. તે શ્રીલંકા સામે સૌથી વધારે નવ સદી ફટકારનારો ખેલાડી બન્યો છે. આ સાથે સચિન આઠમી સદી સાથે બીજા નંબર પર છે.
વિરાટ કોહલીએ શું કહ્યું?
મેચ બાદ કોહલીએ કહ્યું હતું ‘એક બાબત હું શીખ્યો છું અને તે છે કે હતાશા તમને ક્યાંય લઈને જતી નથી. તમારે વસ્તુઓને જટિલ બનાવવાની જરૂર નથી. મેદાનમાં કોઈ પ્રકારનો ડર રાખ્યા વગર રમો. હું કોઈ બાબતને પકડીને રાખી શકું નહીં. તમારે યોગ્ય કારણથી રમવું પડે છે અને દરેક મેચ એ રીતે રમવી પડે છે જાણે તે તમારી અંતિમ મેચ હોય અને આ રીતે તમારે ખુશ થવાનું છે. ગેમમાં આગળ વધવાનું છે. હું હંમેશા વિચારું છું કે, રમવા નથી જઈ રહ્યો, હું એક ખુશી આપનારી જગ્યાએ જઈ રહ્યો છું અને મારા સમયનો આનંદ લઈ રહ્યો છું. મેં કંઈક અલગ કર્યું હોય તેવું મને નથી લાગતું. મારી તૈયારી અને ઈરાદો હંમેશા એક જેવો રહે છે. મને લાગે છે કે, હું બોલને સારી રીતે હિટ કરી રહ્યો છું’.
Read Latest Cricket News And Gujarati News