hardik pandya, શ્રીલંકા સામે સીરિઝ માટે ભારતીય ટીમ જાહેરઃ હાર્દિક-સૂર્યકુમારને પ્રમોશન, રિશભ પંતની હકાલપટ્ટી - hardik pandya to lead india in t20 against sri lanka rishabh pant axed from t20 and one day team

hardik pandya, શ્રીલંકા સામે સીરિઝ માટે ભારતીય ટીમ જાહેરઃ હાર્દિક-સૂર્યકુમારને પ્રમોશન, રિશભ પંતની હકાલપટ્ટી – hardik pandya to lead india in t20 against sri lanka rishabh pant axed from t20 and one day team


શ્રીલંકા સામે રમાનારી વન-ડે અને ટી20 સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમ નવા વર્ષમાં પોતાની પ્રથમ સીરિઝ શ્રીલંકા સામે રમશે. 3 જાન્યુઆરીથી બંને ટીમો વચ્ચે મુંબઈમાં ટી20 સીરિઝનો પ્રારંભ થશે. આ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પસંદગી સમિતિ દ્વારા ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. કેપ્ટન રોહિત શર્મા ફિટ ન હોવાના કારણે તે ટી20 સીરિઝમાં નહીં રમે. જ્યારે વન-ડે સીરિઝથી તે પુનરાગમન કરશે. જોકે, સતત નિષ્ફળ જઈ રહેલા લોકેશ રાહુલને ટીમના ઉપસુકાની પદેથી હટાવી દેવામાં આવ્યો છે જ્યારે સૂર્યકુમાર યાદવને પ્રમોશન મળ્યું છે. જ્યારે અનુભવી ઓપનર શિખર ધવનનું પણ પત્તું કપાઈ ગયું છે.

સૂર્યકુમાર યાદવને ટી20 ટીમનો ઉપસુકાની બનાવવામાં આવ્યો
પસંદગી સમિતિ દ્વારા હાર્દિક પંડ્યાને ટી20 ટીમનો સુકાની બનાવવામાં આવ્યો છે. આમ પણ હાર્દિક પંડ્યા ટી20 ટીમના નિયમિત સુકાની પદ માટેનો પ્રબળ દાવેદાર છે. સૂર્યકુમાર યાદવને ટી20નો ઉપસુકાની બનાવવામાં આવ્યો છે. આમ સૂર્યુકમારને પોતાના શાનદાર પ્રદર્શનનું ફળ મળ્યું છે. સૂર્યકુમાર છેલ્લા ઘણા સમયથી ટી20માં ધમાકેદાર દેખાવ કરી રહ્યો છે. ટી20 ટીમમાં વિકેટકીપર તરીકે ઈસાન કિશનને સ્થાન મળ્યું છે. જ્યારે રિશભ પંત આ ટીમનો ભાગ નથી. મુકેશ શર્મા અને શિવમ માવીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી અને લોકેશ રાહુલ પણ ટી20 ટીમમાં રમવાના નથી.

વન-ડેમાંથી ધવનની હકાલપટ્ટી, હાર્દિક પંડ્યા બન્યો ઉપસુકાની
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હવે આગામી વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમ તૈયારી કરી રહી છે. જેમાં હવે અનુભવી ઓપનર શિખર ધવનને સ્થાન મળ્યું નથી. બાંગ્લાદેશ સામે રમાયેલી વન-ડે સીરિઝમાં ધવનનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. જોકે, સૌથી મોટી વાત એ છે કે ટી20 ટીમના સુકાની પદના પ્રબળ દાવેદાર હાર્દિક પંડ્યાને વન-ડે ટીમનો ઉપસુકાની બનાવવામાં આવ્યો છે. રિશભ પંતને વન-ડે ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી. વન-ડેમાં પણ ઈશાન કિશન સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે ટી20 ટીમમાંથી બહાર કરવામાં આવેલા લોકેશ રાહુલને વન-ડેમાં તક આપવામાં આવી છે.

ભારતીય ટી20 ટીમઃ હાર્દિક પંડ્યા (સુકાની), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (ઉપસુકાની), દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, સંજૂ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર.

ભારતીય વન-ડે ટીમઃ રોહિત શર્મા (સુકાની), હાર્દિક પંડ્યા (ઉપસુકાની), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, લોકેશ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *