GT vs KKR: મેચમાંથી કેમ ગેરહાજર રહ્યો હતો કેપ્ટન હાર્દિક પંડ્યા? કારણનો થયો ખુલાસો
શ્રેયસ અય્યર સાથે ધનાશ્રી વર્માની પાર્ટી
ધનાશ્રી અને શ્રેયસ અય્યરની ઈફ્તાર પાર્ટી
ધનાશ્રી વર્મા અને શ્રેયસ અય્યર સારા મિત્રો છે. બંને એકબીજા સાથે ઘણીવાર હેન્ગઆઉટ કરતાં જોવા મળ્યા છે. આ પહેલા જ્યારે શાર્દુલ ઠાકુરના લગ્ન હતા ત્યારે પણ તેમણે સાથે ફંક્શન અટેન્ડ કર્યું હતું. આ કારણથી તેમના વિશે અલગ-અલગ પ્રકારની વાતો થતી રહી છે અને યુઝવેન્દ્ર ચહલ વિશે પણ મીમ્સ બનતા રહે છે. જો કે, આ બધાની તેમની ફ્રેન્ડશિપ પર કોઈ અસર થઈ નથી. ધનાશ્રીએ કોમન ફ્રેન્ડની ઈફ્તાર પાર્ટી બાદ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી હતી. આ સાથે તેણે લખ્યું હતું ‘મુજે ચાંદ પર લે ચલો’. આ પાર્ટીમાં શ્રેયસની સાથે તેની બહેન શ્રેષ્ઠા પણ હાજર રહી હતી. બીજી તરફ દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રોયલ્સની મેચમાં વ્યસ્ત હોવાના કારણે ચહલ નહોતો સામેલ થઈ શક્યો.
IPL 2023: સતત 5 સિક્સર ફટકારી રિંકુ સિંહે KKRને અપાવી જીત, બે-બે ‘હેટ્રિક’ છતાં GT હાર્યું
ચહલે પોતાના નામે કરી પર્પલ કેપ
યુઝવેન્દ્ર ચહલની વાત કરીએ તો, આઈપીએલ 2023માં તે સારું પર્ફોર્મ કરી રહ્યો છે. પહેલી જ ત્રણ મેચમાં તેણે પર્પલ કેપ પોતાના નામે કરી લીધી છે. ત્રણ મેચમાં ચહલના નામ પર કુલ આઠ વિકેટ છે. ચહલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની પહેલી મેચમાં 4 વિકેટ લીધી ગતી. આ સિવાય દિલ્હી કેપિટલ્સ સામે ત્રણ તો પંજાબ કિંગ્સ સામે એક વિકેટ તેના નામે છે.
ચહલ અને ધનાશ્રીના ડિવોર્સની ઉડી હતી અફવા
ગત વર્ષે ધનાશ્રીએ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પતિની અટક હટાવી દેતાં તે અને યુઝવેન્દ્ર હેડલાઈનમાં છવાયા હતા. બંને ડિવોર્સ લઈ રહ્યા હોવાની અફવા વહેતી થઈ હતી. જો કે, ક્રિકેટરે તરત જ તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક સ્ટેટમેન્ટ શેર કરીને આ વાત પર ધ્યાન ન આપવાની ફેન્સને સલાહ આપી હતી. તો ધનાશ્રીએ પણ કહ્યું હતું કે ‘મેં સખત મહેનત કરી છે અને ધીમે-ધીમે તેમજ શાનથી સન્માન મેળવ્યું છે. પબ્લિક લાઈફ સાથે જે પરિણામ આવે છે તે સહન કરવાની મારી ક્ષમતા છે. આ અનુભવ બાદ હું વધારે સમજદાર હોવાનું અનુભવું છું. હું જાણું છું કે લોકો વાતો કરતાં રહેશે પરંતુ તે ઠીક છે.’
Read latest Cricket News and Gujarati News