શ્રીલંકન જોડીએ રંગ રાખ્યો

Chennai Super Kings, ચેન્નઈ સુપર કિંગ્સની 10મી IPL ફાઈનલઃ શા માટે સૌથી સફળ ટીમ રહી છે ધોનીસેના? – ipl 2023 chennai super kings a team than never stop believing


શ્રીલંકન જોડીએ રંગ રાખ્યો

ચેન્નઈ સુપર કિંગ્સને બે શ્રીલંકન બોલર્સ માટે રાહ જોવી પડી હતી જેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ટીમ માટે રમી રહ્યા હતા. સ્પિનર મહીશ તિક્શના અને ઝડપી બોલર મથીશા પથિરાના બાદમાં ચેન્નઈ સાથે જોડાયા હતા. જોકે, આ બંને બોલર કોઈ મોટા સ્ટાર ન હતા પરંતુ જેવા તેઓ ઉપલબ્ધ થયા તે સાથે ધોનીએ તેમને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યા હતા. આ બંને શરૂઆતથી જ સફળ રહ્યા ન હતા પરંતુ ધોનીએ બંનેમાં પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો હતો.

સાતત્યતા સૌથી મહત્વની છે

સાતત્યતા સૌથી મહત્વની છે

જ્યારે દીપક ચહર ઈજામુક્ત થયો ત્યારે ચેન્નઈએ તેની પ્લેઈંગ ઈલેવનમાં એક પણ ફેરફાર કર્યો ન હતો. ત્યારે ટીમમાં અંબાતી રાયડુ રન નોંધાવી શકતો ન હતો જ્યારે મોઈન અલી પણ બેટ કે બોલ વડે કંઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો. ત્યારે બેન સ્ટોક્સને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય તેમ હતો પરંતુ ધોની પોતાની પ્લેઈંગ ઈલેવનને લઈને મક્કમ હતો. મંગળવારે રમાયેલા મુકાબલામાં મોઈન અલીએ ફક્ત નવ રન જ નોંધાવ્યા હતા અને તેણે બોલિંગ કરી ન હતી. પરંતુ ધોનીએ તેનો ઉલ્લેખ કર્યો હતો કે તે નવ રન પણ કેટલા મહત્વના હતા.

ધોની ઈફેક્ટ

ધોની ઈફેક્ટ

ધોની ચેન્નઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કેવું કરે છે તે હંમેશા જોવા જેવું હોય છે. મેદાનમાં પોતાના માઈક્રો-મેનેજમેન્ટ અંગે ધોનીએ જણાવ્યું હતું કે, હું બેદરકાર કેપ્ટન ન રહી શકું. હું મારા ફિલ્ડર્સને કહેતો હોવ છું કે અંતિમ ક્ષણ સુધી તમે મારી સામે જુઓ. હું તેમને એકાદ-બે ફૂટ આગળ-પાછળ ઊભા રહેવાની સૂચના આપતો હોવ છું. જો ત્યારે તેઓ કેચ ડ્રોપ કરે છે તો મને કોઈ વાંધો નથી. ટીમમાં પ્રત્યેક ખેલાડીની ભૂમિકા છે અને ધોની પોતાની ભૂમિકા પણ સારી રીતે જાણે છે. તેણે કહ્યું હતું કે હું જાણું છું કે હું સંપૂર્ણ પણે ફિટ નથી. તેથી હું પ્રત્યેક મેચમાં થોડા બોલ રમવા જવું પડે તેમ કરું છું. હું પહેલાની જેમ ઝડપથી દોડી શકતો નથી.

અન્ય ફ્રેન્ચાઈઝીઓએ નકારી કાઢેલા ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ કાઢ્યું

અન્ય ફ્રેન્ચાઈઝીઓએ નકારી કાઢેલા ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ કાઢ્યું

શિવમ દૂબે અને અજિંક્ય રહાણે જેવા ખેલાડીઓને અન્ય ફ્રેન્ચાઈઝીઓએ નકારી કાઢ્યા હતા. જોકે, ધોનીએ તેમનો ઉપયોગ સારી રીતે કર્યો અને તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરાવ્યું. ધોનીએ શિવમ દૂબે અને રહાણેને ચોક્કસ ભૂમિકા સોંપી હતી અને તેમણે તે સફળતાપૂર્વક પાર પાડી. દૂબે સ્પિન બોલિંગ સામે શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે અને મોટા શોટ્સ રમે છે. જોકે, તેવા સમયે તે આઉટ થાય ત્યારે ધોનીને કોઈ વાંધો નથી. તેવી જ રીતે રહાણે પરિસ્થિતિ પ્રમાણે રમવાની ક્ષમતા ધરાવે છે. રહાણેએ કહ્યું હતું કે, માહી ભાઈના મગજમાં આખો પ્લાન તૈયાર જ હોય છે અને અમારે તેને સફળતાપૂર્વક પાર પાડવાનો હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *