ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ રમાશે!
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં રહેશે. ત્રીજી ટીમ નેપાળ હશે! એવામાં 13 મેચની ચેમ્પિયનશિપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓછામાં ઓછી ત્રણ વખત ટક્કર થઈ શકે છે. પાકિસ્તાનની ટીમ જે મેચમાં રમતી હશે તેની યજમાની લાહોર કરશે. ભારત-પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ ટૂર્નામેન્ટની અન્ય ટીમો છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે, તેને જોતા આ એશિયા કપ ઘણો મહત્વનો છે. આ ટૂર્નામેન્ટના કારણે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ખેલાડીઓને 50-50 ઓવરની મેચ રમવાની સારી એવી પ્રેક્ટિસ પણ થઈ જશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ નમવું પડ્યું
એશિયન ક્રિકેટ કાઉન્સિલની મીટિંગની અધ્યક્ષતા ચેરમેન જય શાહે કરી. ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો બીસીસીઆઈએ ઈનકાર કર્યા બાદ ટૂર્નામેન્ટ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, પરંતુ અંતે પીસીબીએ નમવું પડ્યું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઈચ્છતું હતું કે, તેમના દેશ ઉપરાંત બાકી મેચ સંયુક્ત આરબ અમીરાતમાં રમાડવામાં આવે, પરંતુ એશિયન દેશોના દબાણ સામે તેને નમતું જોખવું પડ્યું છે. બીસીસીઆઈના સૂત્રોનું કહેવું છે કે, પીસીબી અધ્યક્ષ નજમ સેઠી સાથે ચર્ચા પછી વિવાદ ઉકેલાયો.