ashdeep singh, IND vs BAN: કેપ્ટન Rohit Sharmaનો ફેવરિટ બન્યો Arshdeep Singh, ટીમમાં Jasprit Bumrahની જગ્યા પર ખતરો! - ind vs ban rohit sharma praised arshdeep singh said they prepared him for death overs

ashdeep singh, IND vs BAN: કેપ્ટન Rohit Sharmaનો ફેવરિટ બન્યો Arshdeep Singh, ટીમમાં Jasprit Bumrahની જગ્યા પર ખતરો! – ind vs ban rohit sharma praised arshdeep singh said they prepared him for death overs


એડિલેડઃ ICC ટી20 વર્લ્ડ કપમાં (T20 World Cup) ભારતીય ટીમે બાંગ્લાદેશને (IND vs BAN) પાંચ રનથી હરાવી સેમીફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ બનાવી લીધું છે. ટીમ ઈન્ડિયાની જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) અર્શદીપ સિંહના (Arshdeep Singh) ખૂબ વખાણ કર્યા હતા અને કહ્યું હતું ‘અમે અર્શદીપ સિંહને ડેથ ઓવરો માટે તૈયાર કર્યો, જે ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં અસરકારક સાબિત થઈ રહ્યો છે’, કેપ્ટનના કહેવા પ્રમાણે, અર્શદીપ અને અનુભવી ફાસ્ટ બોલર મહોમ્મદ શમી વચ્ચે એક વિકલ્પ હોત. અર્શદીપે બાંગ્લાદેશ વિરુદ્ધ પાંચ રનથી મળેલી જીતમાં ડેથ ઓવરોમાં સારી બોલિંગ કરી હતી. બાંગ્લાદેશને અંતિમ ઓવરોમાં 20 રનની જરૂર હતી. નુરુલ હસને અર્શદીપની બોલિંગ પર સિક્સ અને ચોગ્ગો ફટકાર્યો હતો પરંતુ તે શાંત ર્યો અને બે શાનદાર યોર્કર કરીને ભારતને જીત અપાવી.

IND vs BAN: પડદા પાછળના આ હીરોને સલામ, જેણે ટીમ ઈન્ડિયાની જીત માટે રેડી દીધો પોતાનો જીવ

અર્શદીપ સિંહનો ફેન બન્યો રોહિત શર્મા
મેચ ખતમ થયા બાદ રોહિત શર્માએ કહ્યું હતું કે ‘અર્શદીપ જ્યારે ટીમમાં આવ્યો તો અમે તેને ડેથ ઓવરોમાં બોલિંગ કરવા માટે કહ્યું હતું. બુમરાહ ટીમમાં નથી અને તેવામાં આ કામ કોઈના માટે પણ સરળ ન હોત. એક યંગ બોલર માટે આ પ્રકારની ભૂમિકા નિભાવવી સરળ નથી પરંતુ અમે તેને તૈયાર કર્યો’.

IND vs BAN: KL Rahulએ ભારત માટે ખતરો બની રહેલા લિટનને સચોટ થ્રોથી પેવેલિયન ભેગો કર્યો

જીત પર રોહિત શર્માએ શું કહ્યું?
તેણે ઉમેર્યું હતું કે ‘તે છેલ્લા આઠ-નવ મહિનાથી આ ભૂમિકા નિભાવી રહ્યો છે. જો કોઈ કામને સતત કરી રહ્યું છે તો હું તેનું સમર્થન કરું છું. અમારી પાસે શમી અને અર્શદીપ હતા. હું શાંત હતો પરંતુ સાથે નર્વસ પણ હતો. એક ટીમ તરીકે તમારી વ્યૂહરચનાનો અમલ કરવા માટે શાંત રહેવું મહત્વપૂર્ણ છે. ઓછી ઓવરની મેચમાં કોઈ પણ ટીમ જીતી શકે છે. પરંતુ વરસાદ બાદ જ્યારે મેચ શરૂ થઈ તો અમે સંયમ જાળવી રાખ્યો અને અંતે અમને સારી જીત મળી’.

રોહિત શર્માએ કોહલીના કર્યા વખાણ
રોહિત શર્માએ વિરાટ કોહલીના વખાણ કરતાં કહ્યું હતું કે ‘કોહલી સારી લયમાં હતો અને આ તેની કેટલીક સારી ઈનિંગ સાથે જોડાયેલો કિસ્સો હતો. એશિયા કપ બાદ તેણે પાછું વળીને જોયું નથી. તે ખૂબ જ અનુભવી છે. આ સિવાય જે રીતે કેએલ રાહુલે બેટિંગ કરી તે ટીમ માટે સારી રહી’.

Read Latest Cricket News And Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *