IPLની એક ઈનિંગમાં સ્પિનર્સ માટે સૌથી વધુ વિકેટ
9- KKR vs RCB, કોલકાતા, 2023
8 – CSK vs RCB, ચેન્નઈ 2019
8 – CSK vs DC, ચેન્નઈ 2019
8 – CSK vs DC, વાઈઝેગ, 2012
IPLની એક મેચમાં સ્પિનર્સ માટે સૌથી વધુ વિકેટ
12 – KKR vs RCB, કોલકાતા, 2023
11 – KKR vs KXIP, કોલકાતા, 2012
11 – KKR vs DC, કોલકાતા, 2018
11 – CSK vs DC, ચેન્નઈ, 2019
81 રનથી વિજય
રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ 81 રનની શાનદાર જીત બાદ કેકેઆરના કેપ્ટન નીતિશ રાણાએ રહમનુલ્લાહ ગુરબાજ (57 રન) અને શાર્દુલ ઠાકુર (68 રન)ની બેટિંગની ભારોભાર પ્રશંસા કરી હતી. રાણાએ મેચ બાદ કહ્યું કે, ગુરબાજે સારી બેટિંગ કરી અને શાર્દુલની જેટલી પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે. રિંકુ સિંહે પણ શાર્દુલ ઠાકુરનો સારો એવો સાથ આપ્યો હતો.
કેપ્ટન નીતિશ રાણાએ શું કહ્યું?
રાણાએ દિલ્હીના લેગ સ્પિનર સુયશ શર્મા વિશે કહ્યું કે, તે દિલ્હીનો છે. તેણે સારી એવી શાનદાર બોલિંગ કરી હતી. આપણે સૌ જાણીએ છીએ કે સુનીલ નરેન અને વરુણ ચક્રવર્તી કેટલાં શાનદાર બોલર્સ છે. આજનો દિવસ પરફેક્ટ રહ્યો. શાર્દુલ ઠાકુર પ્લેયર ઓફ ધ મેચ પુરસ્કારથી નવાજમાં આવ્યો હતો. તેણે કહ્યું કે, શરુઆતમાં અમે સંઘર્ષ કરી રહ્યા હતા. હું જાણતો નથી કે આ પ્રકારની બેટિંગ કેવી રીતે કરી શક્યો. નેટ પર અમે હંમેશા તેની પ્રેક્ટિસ કરીએ છીએ. પિચ પણ સારી હતી અને બેટ્સમેનો માટે મદદગાર હતી.
Latest IPL News And Gujarat News