1 ઓક્ટોબરથી બદલાઈ જશે ક્રિકેટના આ નિયમો, જાણો રમત પર શું પડશે તેની અસર - icc announces new cricket law saliva ban made permanent and change in playing conditions

1 ઓક્ટોબરથી બદલાઈ જશે ક્રિકેટના આ નિયમો, જાણો રમત પર શું પડશે તેની અસર – icc announces new cricket law saliva ban made permanent and change in playing conditions


કોરોના વાયરસ બાદ ક્રિકેટના એક મોટા નિયમમાં ફેરફાર જોવા મળ્યો છે. જેમાં મેચ દરમિયાન ખેલાડીઓ બોલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરી શકતા નથી. હવે તેને કાયમી રીતે નિયમ બનાવી દેવામાં આવ્યો છે. આગામી મહિનાથી એટલે કે 1 ઓક્ટોબરથી ક્રિકેટમાં કેટલાક નિયમોમાં ફેરફાર થવાનો છે. જેમાં બોલ પર લાળ લગાવવા પર પ્રતિબંધથી લઈને પ્લેયિંગ કન્ડિશન જેવા નિયમો સામે લે. ક્રિકેટનું સંચાલન કરતી સર્વોચ્ચ સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ નિયમોમાં ફેરફાર કર્યા છે જે 1 ઓક્ટોબરથી અમલી બનશે. જેમાં બોલર દ્વારા નોન-સ્ટ્રાઈક એન્ડ પર કરવામાં આવતા રન આઉટને હવે ‘અનફેર પ્લે’ સેક્શનમાંથી ‘રન આઉટ’ સેક્શનમાં મૂકી દેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની અને બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીની આગેવાનીવાળી આઈસીસી ક્રિકેટ કમિટી દ્વારા કરવામાં આવેલી ભલામણ બાદ ચીફ એક્ઝિક્યુટિવ્સ કમિટી (સીઈસી)એ નિયમોમાં ફેરફારની જાહેરાત કરી હતી.

બોલ ચમકાવવા માટે લાળના ઉપયોગ પર કાયમી પ્રતિબંધ

અગાઉ આઈસીસી દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને તથા ક્રિકેટના નિયમોના કસ્ટડીયન મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા બોલ ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, હવે 2022 કોડના એમેન્ડમેન્ડ્સમાં તેના પર કાયમી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આઈસીસી એ જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કોવિડને લગતી સાવચેતાની કારણે બોલ પર લાળ લગાવવા પર છેલ્લા બે વર્ષથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને હવે આ પ્રતિબંધને કાયમી કરવામાં આવ્યો છે.

બેટર જે સ્થાને આઉટ થયો હોય તે સ્થાને જ નવો બેટર આવશે

1 ઓક્ટોબરથી બદલાઈ જશે ક્રિકેટના આ નિયમો, જાણો રમત પર શું પડશે તેની અસર - icc announces new cricket law saliva ban made permanent and change in playing conditions

હાલમાં ક્રિકેટમાં જ્યારે કોઈ બેટર કેચ આઉટ થાય છે અને આ દરમિયાન તે એક રન લઈ લે છે તો નવો બેટર નોન-સ્ટ્રાઈક એન્ડ પર આવે છે. પરંતુ હવે આ નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આઈસીસી એ જણાવ્યું છે કે, જ્યારે બેટર કેચ આઉટ થાય છે ત્યારે તેના સ્થાને આવનારો નવો બેટર એ સ્થાને જ રહેશે જ્યાં બેટર આઉટ થયો હશે. ભલે કેચ દરમિયાન બેટર્સ ક્રોસ થઈ ગયા હશે કે નહીં.

બે મિનિટની અંદર નવા બેટરે સ્ટ્રાઈક લઈ લેવી પડશે

1 ઓક્ટોબરથી બદલાઈ જશે ક્રિકેટના આ નિયમો, જાણો રમત પર શું પડશે તેની અસર - icc announces new cricket law saliva ban made permanent and change in playing conditions

ક્રિકેટનું સંચાલન કરતી સર્વોચ્ચ સંસ્થાએ તે પણ જણાવ્યું છે કે નવા આવનાર બેટરે સ્ટ્રાઈક લેવા માટે બે મિનિટમાં તૈયાર થઈ જવું પડશે. ટેસ્ટ અને વન-ડેમાં બેટરે બે મિનિટની અંદર સ્ટ્રાઈક લેવા માટે તૈયાર રહેવું પડશે. જ્યારે ટી20માં હાલનો જે નિયમ છે તે પ્રમાણે 90 સેકન્ડ્સમાં જ સ્ટ્રાઈક લઈ લેવી પડશે.

નોન-સ્ટ્રાઈકર્સ એન્ડ રન આઉટ હવે કાયદેસર બનશે

1 ઓક્ટોબરથી બદલાઈ જશે ક્રિકેટના આ નિયમો, જાણો રમત પર શું પડશે તેની અસર - icc announces new cricket law saliva ban made permanent and change in playing conditions

બોલર જ્યારે બોલ ફેંકવાની શરૂઆત કરે અને બોલ ફેંકે તે પહેલા નોન-સ્ટ્રાઈક એન્ડ પરનો બેટર ક્રિઝની બહાર હોય ત્યારે બોલર તેને રન આઉટ કરે ત્યારે વિવાદ થતો હતો. તેને ‘અનફેર પ્લે’ ગણવામાં આવતું અથવા તો સ્પોર્ટ્સમેન સ્પિરિટની વિરુદ્ધ ગણવામાં આવતું. જોકે, આઈસીસી એ હવે આને ‘રન આઉટ’ સેક્શનમાં સામેલ કરી લીધો છે. આવા રન આઉટને માંકડિંગ રન આઉટ કહેવામાં આવે છે. આઈપીએલમાં રવિચંદ્રન અશ્વિને જોસ બટલરને આ રીતે રન આઉટ કર્યો હતો અને ત્યારબાદ ઘણો મોટો વિવાદ થયો હતો. જોકે, અશ્વિને આને યોગ્ય રીતે આઉટ ગણાવ્યો હતો. જોકે, હવે ક્રિકેટમાં આ વિવાદને સ્થાન રહેશે નહીં.

પ્લેઈંગ કન્ડિશનમાં પણ ફેરફાર

1 ઓક્ટોબરથી બદલાઈ જશે ક્રિકેટના આ નિયમો, જાણો રમત પર શું પડશે તેની અસર - icc announces new cricket law saliva ban made permanent and change in playing conditions

બોલરના રનઅપ દરમિયાન જો ફિલ્ડિંગ ટીમ કોઈ અયોગ્ય રીત અપનાવે છે તો અમ્પાયર તેને ‘ડેડ બોલ’ જાહેર કરશે અને બોલિંગ ટીમને પેનલ્ટી આપતા બેટિંગ ટીમને પાંચ રન આપશે. બીજા એક ફેરફારમાં સ્ટ્રાઈક પર રહેલો બેટર આગળ આવે અને તે દરમિયાન બોલર તેને રન આઉટ કરવા માટે થ્રો કરે તો હવે તેને ગણનામાં લેવામાં આવશે નહીં. અગાઉ બોલ જ્યારે તેની ડિલિવરી સ્ટ્રાઈડમાં આવે તે પહેલા સ્ટ્રાઈક પર રહેલો બેટર આગળ વધે ત્યારે બોલર તેને રન આઉટ કરવા માટે થ્રો કરી શકતો હતો. હવેથી તેને ડેડ બોલ ગણવામાં આવશે.

અન્ય એક મોટા અને મહત્વના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આઈસીસી એ કહ્યું છે કે, ટી20 ક્રિકેટમાં ઓવર રેટ ધીમો હોવાના કારણે 30 યાર્ડના ઘેરાની બહાર એક ફિલ્ડર ઓછો રાખવાનો નિયમ હવે વન-ડેમાં પણ અમલી બનાવવામાં આવશે. આઈસીસી એક કહ્યું હતું કે, ટી20 ક્રિકેટમાં સ્લો ઓવર રેટ બદલ કરવામાં આવતા દંડને હવે વન-ડેમાં પણ લાગુ કરવામાં આવશે. જોકે, આઈસીસી આ નિયમ મેન્સ વર્લ્ડ કપ સુપર લીગ 2023 બાદ અમલી બનાવશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *