ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ત્યારે ઈન્દોર સ્ટેડિયમની પિચ બાદ હવે અમદાવાદની પિચ પણ ચર્ચામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન વોએ અમદાવાદની પિચને લઈને કેટલીક ટિપ્પણી કરી છે. એવી ચર્ચા છે કે, ઓસ્ટ્રેલિયામાં કોઈ મેચ રમાય તો પહેલાં જ ખબર પડી જાય છે કે કઈ પિચ પર મેચ રમાવાની છે.