Asia Cup 2022, India vs Sri Lanka: મંગળવારે શ્રીલંકા સામે રમાયેલી મેચ અંતિમ ઓવર સુધી દિલધડક રી હતી. રોહિત શર્માએ 41 બોલમાં 72 રન ફટકાર્યા હતા જેની મદદથી ભારતે શ્રીલંકા સામે 174 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. શ્રીલંકન બેટર્સે પણ વળતો જવાબ આપ્યો હતો અને લાજવાબ બેટિંગ કરી હતી. અંતિમ ઓવરમાં શ્રીલંકાએ મેચ જીતી લીધી હતી
હાઈલાઈટ્સ:
- એશિયા કપમાં મંગળવારે રમાયેલા મુકાબલામાં શ્રીલંકાએ અંતિમ ઓવરમાં ભારતને હરાવ્યું હતું
- શ્રીલંકા સામે 19મી ઓવરમાં ભુવનેશ્વર કુમારે 14 રન આપી દીધા હતા જે મોંઘા સાબિત થયા હતા
- પાકિસ્તાન સામેની મેચમાં પણ 19મી ઓવરમાં ભુવનેશ્વર કુમારે 19 રન આપી દીધા હતા અને ભારત હારી ગયું હતું
મંગળવારે શ્રીલંકા સામે રમાયેલી મેચ અંતિમ ઓવર સુધી દિલધડક રી હતી. રોહિત શર્માએ 41 બોલમાં 72 રન ફટકાર્યા હતા જેની મદદથી ભારતે શ્રીલંકા સામે 174 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. શ્રીલંકન બેટર્સે પણ વળતો જવાબ આપ્યો હતો અને લાજવાબ બેટિંગ કરી હતી. શ્રીલંકાને જીતવા માટે અંતિમ બે ઓવરમાં એટલે કે 12 બોલમાં 21 રનની જરૂર હતી. જેમાં 19મી ઓવરમાં ભુવનેશ્વરે 14 રન આપી દીધા હતા. આ પરાજય સાથે ભારતનો એશિયા કપમાં પહોંચવાનો માર્ગ મુશ્કેલ બન્યો છે. જો, બુધવારે રમાનારી મેચમાં પાકિસ્તાન અફઘાનિસ્તાનને હરાવી દેશે તો ભારત બહાર ફેંકાઈ જશે.
મારી વાતનો ખોટો મતલબ ના લેતા, પરંતુ તેની બોલિંગમાં ઝડપ ન હતીઃ અકરમ
ભુવનેશ્વર કુમારની બોલિંગ અંગે બોલતા પાકિસ્તાની ઝડપી બોલિંગ લિજેન્ડ વસીમ અકરમે જણાવ્યું હતું કે, ભુવનેશ્વર કુમાર અદ્દભુત બોલર છે. મારી વાતનો ખોટો મતલબ ના લેતા. જ્યારે તમે ટી20માં બોલિંગ કરી રહ્યા હોવ અને ખાસ કરીને આ પ્રકારની પિચ પર તો ભુવનેશ્વર એક મીડિયમ ઝડપી બોલર છે. તમારે ટીમમાં 140 kmphની ઝડપથી બોલિંગ કરી શકે તેવા જસપ્રિત બુમરાહ જેવા બોલરની જરૂર હોય છે. જ્યારે બુમરાહ ટીમ સાથે જોડાશે ત્યારે ભારત પાસે બે અંતિમ ઓવર્સમાં બે શ્રેષ્ઠ બોલર્સ હશે. જો તમે દબાણને અનુરૂપ ન થાવ તો બોલિંગ અશક્ય બની જાય છે.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ