ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર નાગપુરમાં બોલ ટેમ્પરિંગ કરવાનો આરોપ લાગ્યો છે. ત્યારે ટીમ મેનેજમેન્ટે આઈસીસીને મળીને સ્પષ્ટતા કરી હતી. જે બાદ આઈસીસીએ આ મામલે સ્પષ્ટતા કરી છે. મહત્વનું છે કે, કોઈ પણ બોલરે હાથમાં કંઈ પણ ચીજવસ્તુ લગાવવી હોય તો પહેલાં એમ્પાયરની મંજૂરી લેવી પડતી હોય છે, એવો ક્રિકેટનો આ નિયમ છે. રવિન્દ્ર જાડેજાએ આંગળીમાં પેઈન કિલર ક્રિમ લગાવી હતી.