World Cup 2023 Indian Team,ક્રિકેટ વર્લ્ડ કપ માટે 15 ખેલાડીની ટીમ જાહેરઃ અશ્વિન કે સેમસનને સ્કવોડમાં સ્થાન ન મળ્યું - cricket world cup 2023 15 player indian squad announcement

World Cup 2023 Indian Team,ક્રિકેટ વર્લ્ડ કપ માટે 15 ખેલાડીની ટીમ જાહેરઃ અશ્વિન કે સેમસનને સ્કવોડમાં સ્થાન ન મળ્યું – cricket world cup 2023 15 player indian squad announcement


ODI World Cup 2023: આગામી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતે પોતાની 15 ખેલાડીઓની સ્કવોડ જાહેર કરી દીધી છે. 5 ઓક્ટોબરથી વનડે ક્રિકેટની સૌથી મોટી ઈવન્ટ સમાન વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે ત્યારે ભારતે તેની સ્કવોડ જાહેર કરી છે. ક્રિકેટ વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી ચાલશે.

ભારતે ક્રિકેટ ટીમ જાહેર કરી તેમાં રોહિત શર્માને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટીમમાં વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ, કે એલ રાહુલ, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શામી, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ થાય છે.

કે એલ રાહુલને ટીમમાં સમાવેશ કરાશે કે નહીં તે વિશે શંકા હતી. પરંતુ એનસીએ તરફથી રાહુલની ફિટનેસ વિશે ક્લિયરન્સ સર્ટિફિકેટ મળી ગયું છે. તેના કારણે 15 ખેલાડીઓની પ્રોવિઝનલ ટીમમાં રાહુલ હવે સામેલ છે.

ભારતના ચીફ સિલેક્ટર અજીત અગરકરે ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાથે બેસીને એક પત્રકાર પરિષદમાં વર્લ્ડકપ માટેની ટીમની જાહેરાત કરી હતી. હાલમાં ભારતીય ટીમ શ્રીલંકામાં એશિયા કપમાં રમી રહી છે. આ ટીમ માટે જે 18 ખેલાડી શ્રીલંકા ગયા છે તેમાંથી 15 ખેલાડીઓને વર્લ્ડ કપ માટેની ટીમમાં પણ સમાવાયા છે. જોકે, તિલક વર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા અને સંજુ સેમસન વર્લ્ડ કપની ટીમમાંથી પડતા મુકવામાં આવ્યા છે. આજે બીસીસીઆઈ દ્વારા જે ટીમ જાહેર કરવામાં આવી છે તેમાં 28 સપ્ટેમ્બર સુધી જરૂરી ફેરફાર થઈ શકશે. પરંતુ ત્યાર પછી ટીમમાં ફેરફાર કરવો હશે તો તેના માટે આઈસીસીની મંજૂરીની જરૂર પડશે.

આગામી વર્લ્ડ કપ માટે ભારત યજમાન બન્યું છે જેમાં સૌથી પહેલી મેચ 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાશે. ગયા વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ વિજેતા બન્યું હતું જ્યારે ન્યૂઝિલેન્ડ રનર અપ રહ્યું હતું. 19 નવેમ્બરે વર્લ્ડકપ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ રમાશે. આ વખતના વર્લ્ડકપમાં કુલ 48 મેચ રમાવાની છે જેમાં ફાઈનલ મેચ અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. કુલ 48માંથી ગ્રૂપ સ્ટેજની 45 મેચ હશે. ત્યાર પછી 15 તથા 15 નવેમ્બરે સેમી ફાઈનલ યોજાશે ત્યારે 19મીએ ફાઈનલ મેચ રમાશે.

આગામી વર્લ્ડ કપમાં મોટા ભાગના ક્રિકેટ ચાહકોની નજર ભારત અને પાકિસ્તાનની મેચ પર પણ રહેશે. 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે. વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે યોજાશે જેમાં તે ચેન્નાઈ ખાતે ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે. આ ટીમ વિશે વાત કરતા રોહિત શર્માએ કહ્યું કે અમારી પાસે ત્રણ ઓલ રાઉન્ડર, ચાર સીમર્સ અને 7 બેટ્સમેન છે. મને લાગે છે કે તેનાથી વધારે કરી શકાય તેમ ન હતું. અમારી પાસે જે ખેલાડી હાજર છે તેમાંથી અમે સ્કવોડ પસંદ કરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *