virat kohli, ટીમ ઈન્ડિયાની પસંદગી બાદ ઊભા થયા સવાલો, શું કોહલી-રોહિતની T20 કારકિર્દી સમાપ્ત થઈ ગઈ? - why fired selectors chetan sharma selected team india for sri lanka series

virat kohli, ટીમ ઈન્ડિયાની પસંદગી બાદ ઊભા થયા સવાલો, શું કોહલી-રોહિતની T20 કારકિર્દી સમાપ્ત થઈ ગઈ? – why fired selectors chetan sharma selected team india for sri lanka series


શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ટી20 અને વન-ડે સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ ટીમની પસંદગીને લઈને કેટલાક સવાલો ઊભા થયા છે. ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના નબળા પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા કેટલાક આકરા નિર્ણયો લેવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું હતું. બોર્ડે તેના ભાગરૂપે સૌથી પહેલા ચેતન શર્માની આગેવાનીવાળી પસંદગી સમિતિની જ હકાલપટ્ટી કરી દીધી હતી. જોકે, શ્રીલંકા સામેની સીરિઝ માટે જાહેર કરવામાં આવેલી બે ટીમોની પસંદગીને લઈને સૌથી મોટો સવાલ એ છે કે પસંદગી સમિતિની જ હકાલપટ્ટી કરી દેવામાં આવી હતી ત્યારે તેમને જ ટીમની પસંદગીની જવાબદારી કેમ સોંપવામાં આવી? કહેવામાં આવી રહ્યું છે કે 29 ડિસેમ્બરને ક્રિકેટ સલાહકાર સમિતિ મુંબઈમાં બેઠક યોજશે અને નવી પસંદગી સમિતિ અંગે નિર્ણય લેશે. ટીમની પસંદગી અંગે કેટલાક સવાલો ઊભા થયા છે.

પ્રશ્ન-1 : કોહલી અને રોહિત શર્માની ટી20 કારકિર્દી સમાપ્ત થઈ ગઈ?
શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને સામેલ કરવામાં આવ્યા નથી. શું ચેતન શર્મા અને તેમના સાથીઓને તે નક્કી કરવાનો અધિકાર છે કે ટીમમાં ભવિષ્યમાં કોહલી અને રોહિતને સ્થાન હશે? જો આ બંનેને શ્રીલંકા વિરુદ્ધ ટી20 સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે તો પછી જાણ કેમ ન કરવામાં આવી?

પ્રશ્ન-2 : શું લોકેશ રાહુલ કેપ્ટનસીની દોડમાંથી બહાર થઈ ગયો છે?
ટી20 ટીમનું સુકાની પદ હાર્દિક પંડ્યાને સોંપવામાં આવ્યું છે જ્યારે વન-ડે ટીમમાં રોહિત શર્માને સામેલ કરવામાં આવ્યો છે ત્યારે ટીમની આગેવાની રોહિત કરશે. પરંતુ ઉપસુકાની પદની જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. જ્યારે ટી20 ટીમમાં સૂર્યકુમાર યાદવને ઉપસુકાની બનાવવામાં આવ્યો છે. તેવામાં શું લોકેશ રાહુલ ભવિષ્યના સુકાનીની રેસમાંથી બહાર થઈ ગયો છે? તેને ટી20 ટીમમાં પણ સ્થાન મળ્યું નથી. બની શકે છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની સીરિઝ રમાશે ત્યારે તેને ટીમમાં પણ સ્થાન નહીં મળે.

પ્રશ્ન-3 : શું શિખર ધવનની આંતરરાષ્ટ્રીય કારિકર્દીનો અંત આવી ગયો?
શિખર ધવનને બાંગ્લાદેશ પ્રવાસે ગયેલી વન-ડે ટીમનો સુકાની બનાવવામાં આવ્યો હતો. જોકે, ત્યાં તેનું વ્યક્તિગત પ્રદર્શન કંગાળ રહ્યું હતું અને ટીમ પણ સીરિઝ હારી ગઈ હતી. આમ પણ છેલ્લા ઘણા સમયથી ધવનને ફક્ત વન-ડે ટીમમાં જ સામેલ કરવામાં આવી રહ્યો છે. તેવામાં હવે ઈશાન કિશન અને શુભમન ગિલ જેવા યુવાન ખેલાડીઓ ઓપનિંગમાં સારો દેખાવ કરી રહ્યા છે. શ્રીલંકા સામે વન-ડે ટીમમાં ધવનને સામેલ કરાયો નથી તો સવાલ એ થઈ રહ્યો છે કે શું તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે?

પ્રશ્ન-4 : શમીને ફક્ત વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રમાડવામાં આવે છે?
શિખર ધવનની જેમ શું દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, રવિચંદ્રન અશ્વિનને મર્યાદિત ઓવર્સના ક્રિકેટમાંથી હંમેશા માટે છુટ્ટી કરી દેવામાં આવી છે? શું મોહમ્મદ શમીની ટી20 કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે અને ફક્ત વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તેને ટીમમાં સામેલ કરવામાં આવી રહ્યો છે?

પ્રશ્ન-5 : વિકેટકીપર અંગે હજી પણ કોઈ સ્પષ્ટતા કેમ નહીં?
સૌથી મોટી ચર્ચા વિકેટકીપર બેટર રિશભ પંતને લઈને શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં કહેવામાં આવી રહ્યું હતું કે પંતને વન-ડે અને ટી20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જોકે, બીસીસીઆઈના કેટલાક અધિકારીઓએ જણાવ્યું છે કે પંત આગામી બે સપ્તાહ સુધી નેશનલ ક્રિકેટ એકેડેમીમાં ફિટનેસ પર કામ કરશે. જોકે, સવાલ તે પણ છે કે પંતને ફક્ત ટેસ્ટ ક્રિકેટમાં મેચ વિનર તરીકે જોવામાં આવી રહ્યો છે અને મર્યાદિત ઓવર્સના ક્રિકેટમાં ઈશાન કિશન, સંજૂ સેમસન અને લોકેશ રાહુલની ત્રિપુટી પોતાનો દાવો રજૂ કરશે.

શ્રીલંકા સામે સીરિઝ માટે ભારતીય ટી20 ટીમઃ હાર્દિક પંડ્યા (સુકાની), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (ઉપસુકાની), દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, સંજૂ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર.

શ્રીલંકા સામે સીરિઝ માટે ભારતીય વન-ડે ટીમઃ રોહિત શર્મા (સુકાની), હાર્દિક પંડ્યા (ઉપસુકાની), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, લોકેશ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *