એટલે સુધી કે ટી20 ક્રિકેટના ફેન ન હોવા છતાં ઓસ્ટ્રેલિયાના લિજેન્ડરી ક્રિકેટર અને ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલે પણ કોહલીની ઈનિંગ્સને ‘ઈશ્વરીય ગીત’ ગણાવ્યું છે. ચેપલે પાકિસ્તાન સામેની ઈનિંગ્સ બાદ કોહલીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વ્યંગાત્મક રીતે, તે એવી ઈનિંગ્સ પણ હતી જેણે ટી20 ક્રિકેટને કાયદેસર બનાવ્યું, હું કહેવાની હિંમત કરું છું, એક કલા સ્વરૂપ, જે મેં છેલ્લા 15 વર્ષોમાં જોયેલી કોઈપણ ઈનિંગ્સ કરતાં વધુ છે. તેમણે કહ્યું હતું કે કોહલીએ એક એવી ઈનિંગ્સ રમી હતી જે ઈશ્વરીય ગીતની નજીક હતી. આવી ઈનિંગ્સ ટેસ્ટ ક્રિકેટમાં અગાઉ ક્યારેય રમાઈ નથી.
ઓસ્ટ્રેલિયા આવતા પહેલા કોહલીએ કેવી રીતે આ કામ કર્યું તે સમજવા માટે, કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડના ક્રમમાં વધુ આક્રમક અભિગમ માટેના આગ્રહની જરૂરિયાતને સમજવાની જરૂર છે. ગત વર્ષે રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં ભારતની નિષ્ફળતા પાછળ આક્રમકતાનો અભાવ મોટું કારણ રહ્યું હતું. ભારતે ક્રિકેટના આ ટૂંકા ફોર્મેટમાં બેટિંગ એપ્રોચ બદલવાની જરૂર હતી. રોહિત શર્માએ જણાવ્યું હતું કે, અમને લાગ્યું હતું કે અમારે માનસિકતા બદલવાની જરૂર છે. આ સાથે અમારે તે પણ યાદ રાખવાની જરૂર હતી કે જો અમે કંઈન નવા અખતરા કરીએ છીએ તો તેમાં નિષ્ફળતા પણ મળી શકે છે. તેનો મતલબ એ નથી કે તમારે કંઈ નવું કરવું જ ના જોઈએ.
સપ્ટેમ્બરમાં અફઘાનિસ્તાન સામે સદી ફટકાર્યા બાદ ટીમના બે સિનિયર ખેલાડીઓ કોહલી અને રોહિતે સાથે બેસીને બીસીસીઆઈ ટીવી માટે વાતચીત કરી હતી. જેમાં કોહલીએ કહ્યું હતું કે, ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓ તરફથી મને ઘણી બધી સ્પષ્ટતા મળી હતી. જેના કારણે હું મારી સ્વાભાવિક રમત રમી શક્યો. આ ઘણું મહત્વનું છે. મને જે સ્પેસ મળી તેનાથી હું વધારે રિલેક્સ બન્યો હતો. વર્લ્ડ કપ મોટી ટુર્નામેન્ટ છે અને જો હું સારું રમીશ તો હું ટીમ માટે મોટું યોગદાન આપી શકીશ. મેં રાહુલ ભાઈ સાથે પણ વાતચીત કરી હતી કે મિડલ ઓવર્સમાં હું મારા સ્ટ્રાઈક રેટને કેવી રીતે સુધારી શકું છું.