Team India 2007માં કરેલી ભૂલનું કરી રહી છે પુનરાવર્તન, આવી રીતે તો નહીં બની શકે વર્લ્ડ ચેમ્પિયન - indian cricket team repeating mistakes of 2007 world cup

Team India 2007માં કરેલી ભૂલનું કરી રહી છે પુનરાવર્તન, આવી રીતે તો નહીં બની શકે વર્લ્ડ ચેમ્પિયન – indian cricket team repeating mistakes of 2007 world cup


નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ 1932થી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહી છે. ટીમે વર્ષ 1974માં તેની પ્રથમ વનડે અને વર્ષ 2006માં પ્રથમ ટી 20 રમી હતી. ટીમ અત્યાર સુધીમાં 1,700થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકી (Team India)છે. જો ચાહકોને પૂછવામાં આવે કે, ભારતીય ક્રિકેટના 91 વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ સમય કયો હતો? લગભગ દરેકનો જવાબ હશે – 2007 વર્લ્ડ કપ. બાંગ્લાદેશ અને ત્યારબાદ શ્રીલંકા સામે હાર્યા બાદ ભારત ટૂર્નામેન્ટના સુપર 8માં પણ નહતું પહોંચી શક્યું. આખો દેશ શોકમાં ડૂબી ગયો હતો. તે સમયે ટીમના કોચ ગ્રેગ ચેપલ હતા અને કેપ્ટન રાહુલ દ્રવિડ હતા. અત્યારે ભારતીય ટીમ 2023 વર્લ્ડ કપની તૈયારી કરી રહી છે. તો આ વખતે રાહુલ દ્રવિડ કોચની ભૂમિકામાં છે. ટીમ ફરી એક વાર એ જ ભૂલો કરી રહી છે,જે 2007ના વર્લ્ડ કપ પહેલા થઈ રહી હતી.બેટ્સમેનના લાઈઅપ સાથે ચેડાં?
વર્ષ 2007ના વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમની બેટિંગ લાઇનઅપ સાથે ઘણા ચેડાં થયા હતા. ઓપનર સચિન તેંડુલકરને ચોથા નંબર પર મોકલવામાં આવ્યો હતો. જ્યારે રોબિન ઉથપ્પા ઓપનર બન્યો હતો. ક્યારેક ઈરફાન પઠાણ નંબર 3 પર રમી રહ્યો છે. તો ક્યારેક મહેન્દ્ર સિંહ ધોની. ટૂર્નામેન્ટમાં સ્થિતિ એવી થઈ ગઈ કે, ટીમ ઇન્ડિયાને કંઈ સમજાયું નહીં. ત્રણ મેચમાં ટીમ 2 અલગ અલગ ઓપનિંગ જોડી સાથે ઉતરી હતી. જ્યારે ઇરફાન પઠાણને વર્લ્ડ કપની પ્લેઈંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ધોની 7મા નંબરે ઉતર્યો હતો. સેહવાગના નંબર સાથે પણ ફેરફાર થયા હતા.

2023માં આ જ ઘટનાનું થશે ફરી પુનરાવર્તન?
વર્ષ 2023ના વર્લ્ડ કપ પહેલા વર્ષ 2007ની સ્ટોરીનું પુનરાવર્તન થઈ રહ્યું છે તેવું લાગી રહ્યું. વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે સિરીઝની પહેલી મેચમાં રોહિત શર્મા 7મા નંબરે ઉતર્યો હતો. જ્યારે વિરાટની તો બેટિંગ જ ન આવી. બીજી મેચમાં રોહિત-વિરાટને પડતો મૂકવામાં આવ્યો હતો. તો ત્રીજા નંબરે સંજૂ સેમસન અને ચોથા નંબરે અક્ષર પટેલ રમવા આવ્યો હતો. આ સિરીઝ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નઈમાં વનડે રમી હતી. તેમાં અક્ષર 5મા નંબરે ઉતર્યો હતો. જ્યારે જાન્યુઆરીમાં ન્યૂ ઝિલેન્ડ સામે મિડલ ઑર્ડરમાં રમનાર ઇશાન કિશન ઓપનિંગ કરી રહ્યો છે.

કેપ્ટન્સીથી લઈને બોલિંગ સુધીના અખતરા
અનિલ કુંબલે વર્ષ2005થી વનડેમાં મર્યાદિત સંખ્યામાં મેચ રમતો હતો. તેને વર્લ્ડ કપની ટીમમાં એન્ટ્રી મળી હતી. જ્યારે 4-5 વર્ષથી મુખ્ય વનડે ખેલાડી રહેલો મોહમ્મદ કૈફને ટૂર્નામેન્ટના થોડા મહિના પહેલા જ બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારે પણ સેહવાગ પસંદગીની મેચોમાં કેપ્ટનશીપ મળી હતી. તો આ વખતે પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. વર્ષ 2013માં છેલ્લે વનડે રમનારો ઉનડકટ ટીમમાં પાછો ફર્યો છે. જ્યારે શિખર ધવન બહાર થઈ ગયો છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી મેચમાં હાર્દિક પંડ્યાએ કેપ્ટનશીપ કરી હતી.

આ કેવી વર્લ્ડકપની તૈયારી?
વર્લ્ડકપથી પહેલા એવી આશા કરવામાં આવે છે કે, બધા જ ખેલાડીઓ મેચ પ્રેક્ટિસ કરે છે, પરંતુ વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે સીરીઝમાં સામેલ ફાસ્ટ બોલર્સ પર નજર કરીએ તો, શાર્દૂલ ઠાકુર સિવાય કોઈ વર્લ્ડ કપમાં જતું હોય તેવું લાગતું નથી. મોહમ્મદ શમી ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ બાદથી આરામ કરી રહ્યો છે. તે સીધો એશિયા કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં જશે. ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ બાદ રોહિતે 4 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે. જ્યારે કોહલીએ 3 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની છેલ્લી વનડે બાદ તેને ફરી એક મહિનાનો આરામ મળશે. કારણ કે, ભારતે 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે આગામી વનડે રમવાની છે. શું વર્લ્ડ કપની આવી તૈયારી છે?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *