t20 world cup 2022, 'ફક્ત તમારા રેકોર્ડ્સ બને તે રનનું કોઈ મહત્વ નથી' કોહલી પર ગૌતમ ગંભીરનો કટાક્ષ - gautam gambhir launches fresh jibe on virat kohli ahead of t20 world cup

t20 world cup 2022, ‘ફક્ત તમારા રેકોર્ડ્સ બને તે રનનું કોઈ મહત્વ નથી’ કોહલી પર ગૌતમ ગંભીરનો કટાક્ષ – gautam gambhir launches fresh jibe on virat kohli ahead of t20 world cup


ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપનો પ્રારંભ થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયન ધરતી પર ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીનો રેકોર્ડ ઘણો જ ધમાકેદાર રહ્યો છે. 2014માં એડિલેડ ટેસ્ટમાં તેણે 141 રનની ઈનિંગ્સ રમી હતી અને બાદમાં 2016માં રમાયેલી વન-ડે સીરિઝમાં તેણે સળંગ બે સદી ફટકારી હતી. ટી20માં પણ કોહલીનો રેકોર્ડ પ્રભાવશાળી રહ્યો છે. તેણે 451 રન નોંધાવ્યા છે અને પાંચ અડધી સદી ફટારી છે જે ઓસ્ટ્રેલિયામાં પ્રવાસી બેટર દ્વારા નોંધાવવામાં આવેલા સૌથી વધુ રન છે. જોકે, છેલ્લા ત્રણ વર્ષ કોહલીની કારકિર્દીના સૌથી નબળા રહ્યા હતા. ત્રણ વર્ષ સુધી તે એક પણ આંતરરાષ્ટ્રીય સદી નોંધાવી શક્યો ન હતો. અંતે ગત મહિને એશિયા કપમાં તેણે અફઘાનિસ્તાન સામે 122 રન ફટકારીને પોતાનું ફોર્મ પરત મેળવી લીધું છે. તેથી ટી20 વર્લ્ડ કપમાં તેની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જોકે, ઓસ્ટ્રેલિયામાં ભારત પોતાના ટી20 વર્લ્ડ કપના અભિયાનનો પ્રારંભ કરે તે પહેલા ભૂતપૂર્વ બેટર ગૌતમ ગંભીરે કોહલી પર કટાક્ષ કર્યો છે.

સોમવારે ટી20 વર્લ્ડ કપની વોર્મ અપ મેચ પહેલા એક ચેનલના કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયામાં ટી20 બેટર તરીકે કોહલીના રેકોર્ડને હાઈલાઈટ કરવામાં આવ્યો હતો. ત્યારે કાર્યક્રમના પ્રેઝન્ટરે ગૌતમ ગંભીરને પૂછ્યું હતું કે ટુર્નામેન્ટમાં કોહલીએ કેવા માઈન્ડસેટ સાથે રમવું જોઈએ. ત્યારે ગંભીરે કહ્યું હતું કે ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાનીએ ફક્ત રન નોંધાવવા પર જ ધ્યાન આપવું જોઈએ, રેકોર્ડ્સ બ્રેક કરવા પર નહીં. તેણે ટીમ ઈન્ડિયાને 15 વર્ષ બાદ ટી20 વર્લ્ડ કપ જીતાડવા પર ધ્યાન આપવું જોઈએ.

ગંભીરે કહ્યું હતું કે, કોહલીએ રન નોંધાવવાના માઈન્ડસેટથી જ રમવું જોઈએ. આ સિવાય કોઈ બેટરે અન્ય કોઈ પણ પ્રકારના માઈન્ડસેટ સાથે રમવાની જરૂર નથી. બીજું શું માઈન્ડસેટ હોઈ શકે? એક બેટરનું કામ રન નોંધાવવાનું છે અને બોલરનું કામ વિકેટ લેવાનું છે. રન એવા બનાવો જેનાથી તમારી ટીમ જીતે. રન એવા ન બનાવો કે ફક્ત તમારા રેકોર્ડ્સ જ બને, કે પછી 50 કે 100 થાય. તમે 30 કે 40 રન બનાવો પરંતુ તેનાથી તમારી ટીમ પર અસર પડે અને ટીમનો સ્કોર વધે. જો તમે ટાર્ગેટ પાર પડવા માટે રમો છો ત્યારે એવી રીતે બનો જેથી લોઅર ઓર્ડરના બેટર્સ પરથી દબાણ હટી જાય.

મને વિશ્વાસ છે કે જ્યારે તમે આ રીતે ટુર્નામેન્ટમાં જાઓ છો ત્યારે વ્યક્તિગત રેકોર્ડસને ઘરે મૂકીને જવું જોઈએ. જો તમે ઓસ્ટ્રેલિયા જોઓ છો તો તમારા રેકોર્ડ્સના વિચારો ભારતમાં મૂકીને જવા જોઈએ કેમ કે વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં વ્યક્તિગત રેકોર્ડ્સનું કોઈ મહત્વ નથી. વર્લ્ડ કપ જીતવો જ મહત્વનું છે. જો તમે 500 રન નોંધાવો અને ક્વોલિફાઈ ન કરી શકો તો તે ફક્ત તમારા રેકોર્ડમાં જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *