sunil gavaskar, IPLમાં રમો છો ત્યારે વર્કલોડ નથી હોતો, ભારત માટે રમો છો ત્યારે કેમ? ભડક્યા દિગ્ગજ ખેલાડી - aap ipl khelte hai vahan workload nahi hota angry sunil gavaskar slams team india

sunil gavaskar, IPLમાં રમો છો ત્યારે વર્કલોડ નથી હોતો, ભારત માટે રમો છો ત્યારે કેમ? ભડક્યા દિગ્ગજ ખેલાડી – aap ipl khelte hai vahan workload nahi hota angry sunil gavaskar slams team india


ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ કપમાં ખરાબ રીતે હારીને બહાર થઈ ગઈ. જેના કારણે ટીમની અને સ્ટાર ખેલાડીઓની આકરી ટીકાઓ થઈ રહી છે. ટીમના કંગાળ પ્રદર્શનથી દિગ્ગજ ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર સુનીલ ગાવસ્કર બરાબરના ભડક્યા છે. 1983ની વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાર રહેલા ગાવસ્કરે ટીમની આકરી ઝાટકણી કાઢી છે. ભૂતપૂર્વ સુકાનીએ વર્કલોડ મેનેજમેન્ટને લઈને પોતાની વાત જણાવી છે. લિટલ માસ્ટર તરીકે જાણીતએ ગાવસ્કરે કહ્યું હતું કે, જ્યારે ખેલાડીઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રમે છે ત્યારે બધું બરાબર થાય છે પરંતુ જ્યારે તેઓ ટીમ ઈન્ડિયા માટે રમે છે ત્યારે તેમને વર્કલોડની યાદ આવી જાય છે.

એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે, તમે આઈપીએલમાં રમો છો. તમે આઈપીએલની આખી સિઝન રમો છો ત્યારે તમે ટ્રાવેલિંગ કરો છો. ફક્ત ગત આઈપીએલ ચાર સેન્ટર્સમાં રમાઈ હતી, તે સિવાય તમારે આઈપીએલની મેચો દરમિયાન વધારે ટ્રાવેલિંગ કરો છો. ત્યારે તમને થાક નથી લાગતો? ત્યાં વર્કલોડ નથી હોતો? ફક્ત જ્યારે ભારત માટે રમવાનું હોય છે, અને તેમાં પણ જ્યારે તમે નોન-ગ્લેમરસ દેશોમાં જાઓ છો ત્યારે તમને વર્કલોડ યાદ આવે છે? આ વાત ખોટી છે.

વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હવે ભારતને ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવાનું છે. 17 નવેમ્બરથી ટી20 સીરિઝની શરૂઆત થશે અને બાદમાં વન-ડે સીરિઝ રમાશે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને લોકેશ રાહુલ જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ગાવસ્કરે સ્પષ્ટ કહ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓને આટલી બધી છૂટ આપવી જોઈએ નહીં.

નોંધનીય છે કે રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ સેમિફાઈનલ સુધી પહોંચી હતી. પરંતુ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટીમને 10 વિકેટે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ દરમિયાન વિરાટ કોહલીનું ફોર્મ યથાવત રહ્યું હતું. કોહલીએ ટુર્નામેન્ટમાં સૌથી વધુ 296 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન સારું રહ્યું હતું. આ સિવાય એક પણ બેટર સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. ઓપનર લોકેશ રાહુલ અને સુકાની રોહિત શર્મા પણ ફ્લોપ રહ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *