shoaib akhtar, ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાનના પરાજયથી રોષે ભરાયો અખ્તર, ટીમ ઈન્ડિયા વિશે કરી ખરાબ ટિપ્પણી - t20 world cup 2022 shoaib akhtar makes explosive statement against team india after zimbabwe beat pakistan

shoaib akhtar, ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાનના પરાજયથી રોષે ભરાયો અખ્તર, ટીમ ઈન્ડિયા વિશે કરી ખરાબ ટિપ્પણી – t20 world cup 2022 shoaib akhtar makes explosive statement against team india after zimbabwe beat pakistan


ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં પ્રથમ બે મેચમાં પાકિસ્તાની ટીમનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું છે. ઝિમ્બાબ્વે સામે પરાજય બાદ ભૂતપૂર્વ ક્રિકેટર્સે ‘સરેરાશ માનસિકતા’ અને ખરાબ ટીમ પસંદગી માટે ટીની ટીકાઓ કરી છે. પાકિસ્તાન પોતાનાથી ઓછા રેન્કિંગ ધરાવતી ઝિમ્બાબ્વે વિરુદ્ધ 130 રનનો લક્ષ્યાંક હાંસલ કરી શકી ન હતી. પ્રથમ મેચમાં પાકિસ્તાનને ભારત સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને બાદમાં ઝિમ્બાબ્વે સામે પરાજય બાદ પાકિસ્તાની ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. બાબર આઝમની ટીમ માટે સેમિફાઈનલમાં પહોંચવાનો માર્ગ કપરો બની ગયો છે.

પાકિસ્તાનના એક રનથી પરાજય બાદ ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે કહ્યું હતું કે, અત્યંત શરમજનક અને નિરાશાજનક સત્ય એ છે કે ઝિમ્બાબ્વે જેવી ટીમને પરાજય આપવા માટે પણ તમારે મહેનત કરવી પડશે. આપણી ટીમ પસંદગી અને આપણી માનસિકતા સરેરાશ રહી જેના કારણે પાકિસ્તાન સંકટમાં મૂકાઈ ગયું છે.

ભારત વિરુદ્ધ પણ ખરાબ ટિપ્પણી કરી ગયો અખ્તર
પોતાની ટીમના આ શરમજનક પ્રદર્શન બાદ શોએબ અખ્તરે ભારતીય ટીમ અંગે પણ ખોટી ટિપ્પણી કરી હતી. અખ્તરના જણાવ્યા પ્રમાણે ટીમ ઈન્ડિયા સેમિફાઈનલથી આગળ વધી શકશે નહીં અને ઝડપથી સ્વદેશ પરત ફરી જશે. અખ્તરે જણાવ્યું હતું કે, હું પહેલા પણ કહી ચૂક્યો છું કે પાકિસ્તાન ઝડપથી સ્વદેશ આવી જશે. જ્યારે આગામી સપ્તાહે ભારત પણ પરત ફરશે. ટીમ ઈન્ડિયા પણ સેમિફાઈનલ રમીને પરત ફરશે. તે પણ કોઈ તીસ માર ખાં નથી.

મોહસિન ખાને પણ કરી આકરી ટીકા
ભૂતપૂર્વ બેટર મોહસિન ખાને કહ્યું હતું કે, શું આ આપણું ક્રિકેટ છે. આપણે ઝિમ્બાબ્વે જેવી ઓછી રેન્કિંગ ધરાવતી ટીમ સામે 130 રન પણ ન નોંધાવી શક્યા. જો આ જ આપણી બેટિંગ છે તો પછી ખુદા આપણા ક્રિકેટની મદદ કરે. પોતાના સમયના દિગ્ગજ બેટર રહેલા જાવેદ મિયાંદાદે કહ્યું હતું કે જ્યારે તમે સારા બેટર્સને બહાર કરીને ખરાબ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ટીમમાં સામેલ કરો છો તો આવી જ હાલત થશે.

સલમાને પણ કેપ્ટનસી પર ઉઠાવ્યા સવાલ
ભૂતપૂર્વ સુકાની અને બેટર સલમાન બટે પણ ટીમના પ્રદર્શનની ટીકા કરી હતી. તેણે બાબર આઝમની કેપ્ટનસી અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, આ ખેલાડી ઓસ્ટ્રેલિયામાં સારું પ્રદર્શન કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ નથી. જ્યારે મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ નથી ચાલતા તો આપણી મુશ્કેલીઓ વધી જાય છે. હું હંમેશા કહેતો આવ્યો છું કે એવા ખેલાડીને સુકાની બનાવવામાં આવે જે રાષ્ટ્રીય ટીમ તરફથી રમતા કેપ્ટનસીની સ્કિલ શીખે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *