Today News

Sachin talks about Harbhajan Singh, Sachin Tendulkar: રનઅપ છોડીને વારંવાર મળવા પહોંચી જતો હતો હરભજન, કારણ જાણીને હસીને લોટપોટ થઈ ગયા હતા સચિન તેંદુલકર – sachin tendulkar talks about funny first interaction with harbhajan singh

Sachin talks about Harbhajan Singh, Sachin Tendulkar: રનઅપ છોડીને વારંવાર મળવા પહોંચી જતો હતો હરભજન, કારણ જાણીને હસીને લોટપોટ થઈ ગયા હતા સચિન તેંદુલકર - sachin tendulkar talks about funny first interaction with harbhajan singh


નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મહાન બેટ્સમેન સચિન તેંદુલકરને આ ગેમના ભગવાન કહેવાય છે. પોતાના 20 કરતા વધુ વર્ષના કરિયરમાં સચિને ક્રિકેટ સાથે સંલગ્ન લગભગ બધી સિદ્ધિઓ મેળવી લીધી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સદી હોય કે પછી રનોનો પહાડ. ટીમ ઈન્ડિયા માટે રમેલી દરેક એક મેચમાં સચિન સાથે જોડાયેલા ઘણા કિસ્સા અને કહાનીઓ છે. આવો જ એક કિસ્સો પૂર્વ સ્પિન બોલર હરભજન સિંહને લઈને સચિને એક મીડિયા કાર્યક્રમમાં જણાવ્યો, જ્યારે તેઓ પહેલી વખત મોહાલીમાં તેને મળ્યા હતા.

એક મીડિયા કાર્યક્રમમાં સચિન હરભજન સિંહની સાથે પોતાની પહેલી મુલાકાતને યાદ કરતા કહ્યું કે, ‘હું હરભજનને પહેલી વખત મોહાલીમાં મળ્યો હતો. મને કોઈએ જણાવ્યું હતું કે, હરભજન સિંહ ઘણો સારો દૂસરા નાખે છે.’

તેમણે કહ્યું કે, ‘આ 90ના દાયકાની વાત છે. હરભજન દરેક બોલ પછી મારી પાસે આવી જતો હતો, જ્યારે કે તેણે રનઅપ પર જવું જોઈતું હતું. હરભજન સિંહ જ્યારે નેશનલ ટીમમાં આવ્યો, તો મેં તેને પૂછ્યું કે, તે રનરઅપને બદલે મારી પાસે કેમ આવી જતો હતો. તેના પર હરભજન સિંહે એક રસપ્રદ કિસ્સો જણાવ્યો.’

સચિને કહ્યું કે, ‘હું જ્યારે બેટિંગ કરતો હતો, તો બોલ રમતા પહેલા મારું માથું હલાવતો હતો અને હરભજનને લાગતું હતું કે, તેને બોલાવી રહ્યો છું. એ કારણે તે દડો ફેંક્યા પછી મારી પાસે આવી જતો હતો, જ્યારે કે એવું ન હતું.’

આ મીડિયા કાર્યક્રમમાં સચિન અન્ય ઘણા મુદ્દા પર વાત કરી. તેણે સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર તરીકે પોતાના ભવિષ્યને લઈને કહ્યું કે, હાલ અંગે કંઈ વિચાર્યું નથી. બીસીસીઆઈના પ્રમુખ બનવા અંગેનો સવાલ તેમણે હસીને ટાળી દીધો.

આ ઉપરાંત તાજેતરમાં જ બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝમાં પિચને લઈને થયેલા વિવાદ અંગે પણ સચિને વાત કરી. સચિને કહ્યું કે, ‘ટેસ્ટ ક્રિકેટમાં એ પ્રકારનો વિવાદ ન હોવો જોઈએ કે કેટલા દિવસમાં રમત પૂરી થઈ ગઈ. જરૂરી એ છે કે, મેચ દરમિયાન જરૂરી બાબતો કઈ-કઈ થઈ. જ્યારે કોઈપણ ટીમ પ્રવાસ પર જાય છે તો સરળ નથી હોતું.’ તેમણે કહ્યું કે, ‘હું માનું છું કે, ટેસ્ટ મેચ કયા પ્રકારની પિચ પર રમાવી જોઈએ તે ઘણો મહત્વપૂર્ણ મુદ્દો છે.’

Exit mobile version