Today News

ruturaj gaikwad jawa 42 bobber, 1 ઓવરમાં 7 સિક્સર ફટકારનાર ઋતુરાજ ગાયકવાડે ખરીદ્યું લાખોની કિંમતનું બાઈક – indian cricketer ruturaj gaikwad has recently bought a jawa 42 bobber

ruturaj gaikwad jawa 42 bobber, 1 ઓવરમાં 7 સિક્સર ફટકારનાર ઋતુરાજ ગાયકવાડે ખરીદ્યું લાખોની કિંમતનું બાઈક - indian cricketer ruturaj gaikwad has recently bought a jawa 42 bobber


ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ભારતીય ક્રિકેટ ટીમમાં એક લોકપ્રિય નામ છે. ઋતુરાજ ગાયકવાડે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે ગત વર્ષે શ્રીલંકા વિરુદ્ધ ટી20 ઈન્ટરનેશનલ મેચથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી. બહુ ઓછા લોકો એ વાત જાણતા હશે કે ઋતુરાજ ગાયકવાડ બાઈકનો શોખીન છે. પ્રખ્યાત ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડે જાવાનું બાઈક ખરીદ્યું છે. ઋતુરાજ ગાયકવાડના આ બાઈકનું નામ Jawa 42 Bobber છે. જેની કિંમત રૂપિયા 2 લાખ 9 હજાર છે.

મહારાષ્ટ્રના ઓપનર ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં એક મોટી સિદ્ધિ મેળવી હતી. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સર ફટકારી હતી. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે મેચની 49મી ઓવરમાં આ કર્યું હતું. સાત શાનદાર સિક્સરની મદદથી ગાયકવાડે આ મેચમાં બેવડી સદી ફટકારી હતી.

અહીં નોંધનીય છે કે થોડા સમય પહેલા ભારતના યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડનું નામ મરાઠી અભિનેત્રી સયાલી સંજીવની સાથે જોડાયું હતું. વિજય હજારે ટ્રોફી 2022માં 2 વખત સદી ફટકારનાર ઋતુરાજનું નામ એક્ટ્રેસ સયાલી સાથે જોડવામાં આવી રહ્યું હતું પરંતુ એક્ટ્રેસે ઋતુરાજ સાથેનાં પોતાના અફેરને લઇને મૌન તોડ્યું હતું. સયાલી સંજીવે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, એવું કંઇ પણ નથી. આ અફવાઓનાં કારણે અમારી મિત્રતા પણ ખરાબ થઇ ગઇ છે. અમે હવે એતબીજા સાથે મિત્ર બનીને પણ વાત નથી કરી શકતા. કશું હતું નહીં. મને તો ખબર પણ નથી કે શા માટે અમને સાથે જોડવામાં આવે છે.

તમામ અફવાઓ ત્યારે શરૂ થઇ જ્યારે ઋતુરાજે સયાલી સંજીવની પોસ્ટ પર ટિપ્પણી કરી હતી. જો કે તે સમયે પોતાના સંબંધોને લઇને બંનેમાંથી કોઇએ પણ સ્પષ્ટતા આપી નહોતી. સયાલીએ કહ્યું હતું કે અફવાઓને લીધે અમારા અંગત જીવનમાં પણ સમસ્યાઓ પેદા થઇ છે અને તે ગોસિપ કરનારને પણ સમજાશે નહીં. તે એક સારો ખેલાડી છે અને શરૂઆતમાં અમે આ વિષય પર વાત કરી હતી. પહેલા તો અમે એ કહીને આ વાત ટાળી કે અફવાઓ હશે. અમે હંમેશાં વિચારતા કે સત્ય સામે આવી જશે ત્યારે બધાને ખબર પડી જશે.

Exit mobile version