Today News

rohit sharma, IND vs AUS: સીરિઝ જીત્યા બાદ રોહિત શર્માનો મજાકિયો અંદાજ, સ્ટાઈલમાં આપ્યા જવાબો – india vs australi 4th test 2023 rohit sharma gives hilarious answers to journalists

rohit sharma, IND vs AUS: સીરિઝ જીત્યા બાદ રોહિત શર્માનો મજાકિયો અંદાજ, સ્ટાઈલમાં આપ્યા જવાબો - india vs australi 4th test 2023 rohit sharma gives hilarious answers to journalists


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચ ડ્રો રહી. પ્રથમ ત્રણ ટેસ્ટમાં જે પ્રકારની પિચ રહી હતી તે જોતા અમદાવાદમાં પણ મેચનું પરિણામ આવશે તેવું માનવામાં આવી રહ્યું હતું. ત્રણ ટેસ્ટમાં સ્પિનર્સનો દબદબો રહ્યો હતો તેનાથી વિપરીત અમદાવાદની પિચ બેટિંગ માટે સ્વર્ગ સમાન રહી હતી. જોકે, ભારતીય ક્રિકેટપ્રેમીઓ માટે અંતિમ દિવસે ખુશીની વાત એ રહી હતી કે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને હરાવ્યું તે સાથે જ ટીમ ઈન્ડિયા ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ હતી.

કદાચ આ જ કારણ હતું કે જ્યારે કેપ્ટન રોહિત શર્મા મેચ બાદ પત્રકારો સાથે વાતચીત કરવા માટે આવ્યો ત્યારે ખુશમિજાજ અંદાજમાં જોવા મળ્યો હતો. સંયોગવશ પ્રથમ સવાલ આ લખનાર રિપોર્ટરે પૂછ્યું હતું કે, શું તમે જણાવશો કે નાગપુરથી લઈને અમદાવાદ સુધીની સફર કેવી રહી. તો રોહિત શર્માએ મજાકિય અંદાજમાં હસતાં હસતાં સામે સવાલ કર્યો હતો કે શું ચારેય ટેસ્ટ વિશે વાત કરૂં! તેનો જવાબ સાંભળીને ત્યાં હાજર પત્રકારો પણ હસી પડ્યા હતા. હાલના દિવસોમાં ભારતીય મીડિયા સાથે વાતચીત દરમિયાન ખેલાડીઓ કે કેપ્ટન સાથે હસવાના પ્રસંગો ઘણા ઓછા હોય છે. પરંતુ તકનો ફાયદો ઉઠાવતા પિચ અંગે રોહિતને મજાકિયા અંદાજમાં સવાલ કર્યો હતો. ત્યારે પણ રોહિતે હળવા અંદાજમાં જવાબ આપ્યો હતો.

જોકે, બાદમાં રોહિત એક-એક કરીને સવાલોના જવાબ આપ્યા હતા. તેણે પોતાના આગવા અંદાજમાં પત્રકારો સાથે વાતચીતની શરૂઆત કરી હતી અને તે ઘણો જ ખુશ જોવા મળ્યો હતો. તેમાં કોઈ શંકા નથી કે પોતાની કેપ્ટનસીમાં ફક્ત છ મેચમાં ટીમનું સુકાન સંભાળ્યું હોય અને બોર્ડર-ગાવસ્કર જેવી પ્રતિષ્ઠિત સીરિઝ જીતી હોય તો કયો કેપ્ટન ખુશ ન હોય.

પરંતુ રોહિતે જે એક સૌથી ઉમદા વાત કરી અને તે એ હતી કે આઈપીએલ છતાં તેમનું ફોકસ જૂનમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જીતવા પર રહેશે. કોઈ સવાલ વગર જ રોહિતે જાતે જણાવ્યું હતું કે 21 મે બાદ છ ટીમોના ભાગ્યનો નિર્ણય થઈ જશે અને જે ખેલાડી ફ્રી હશે તેમને સૌથી પહેલા ઈંગ્લેન્ડ મોકલી દેવામાં આવશે. એટલે કે રોહિતે નક્કી કરી દીધું છે કે ગત વર્ષની ભૂલનું પુનરાવર્તન આ વખતે કરવામાં આવશે નહીં. ભારત ફક્ત એક જ મેચ માટે ઈંગ્લેન્ડ ગયું હતું હતું અને ત્યાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

કોરોનાના કારણે રોહિત શર્મા તે ટેસ્ટ મેચમાં રમી શક્યો ન હતો. જસપ્રિત બુમરાહે ટીમની આગેવાની કરી હતી. રોહિત શર્મા જાણે છે કે જો ઓવલમાં ફરીથી ઓસ્ટ્રેલિયા સામે વિજય મળશે તો તે તેની કેપ્ટનસીમાં મળેલી અલ્ટીમેટ જીત હશે, કેમ કે આઈસીસી એ ઓવલ ટેસ્ટને અલ્ટીમેટ ટેસ્ટની સંજ્ઞા આપી છે.

Exit mobile version