rohit sharma, રોહિત શર્મા પર BCCI મહેરબાન, હાલ ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદે જળવાઈ રહેશે - rohit sharma will be captain in west indies tour says bcci source

rohit sharma, રોહિત શર્મા પર BCCI મહેરબાન, હાલ ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદે જળવાઈ રહેશે – rohit sharma will be captain in west indies tour says bcci source


નવી દિલ્હીઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ (WTC Final)માં હાર છતાં રોહિત શર્માની કેપ્ટનશિપને કોઈ ખતરો નથી. બીજા શબ્દોમાં કહીએ તો ભારતીય ક્રિકેટ બોર્ડને હિટમેન પર પૂરો વિશ્વાસ છે. ભારતીય ટીમ આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝના લાંબા પ્રવાસે જઈ રહી છે. જ્યાં બે ટેસ્ટ, ત્રણ વન-ડે અને ચાર ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમશે. આ દરમિયાન ટેસ્ટ સીરિઝમાં રોહિત જ ટીમનો કેપ્ટન રહેશે. રોહિત જોકે, ડોમીનિકા કે પોર્ટ ઓફ સ્પેનમાં રમાનારી ટેસ્ટ (20થી 24 જુલાઈ)માં જો કોઈ મોટી નહીં ઈનિંગ્સ રમે છો તો બીસીસીઆઈના અધિકારીઓ અને નેશનલ સિલેક્શન કમિટી પર આકરો નિર્ણય લેવાનું દબાણ ઊભું થશે.

હવે IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ અને મેળવો દરેક મહત્વના અપડેટ્સ

બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ‘એ પાયા વિહોણી વાત છે કે, રોહિતને કેપ્ટન પદેથી હટાવી દેવાશે. હા, શું તે પૂરા બે વર્ષના ડબલ્યુટીસી (વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ) ચક્રમાં તે સ્થાને રહેશે, એ એક મોટો સવાલ છે, કેમકે 2025માં ત્રીજું ચક્ર પુરું થયા પર તે લગભગ 38 વર્ષનો હશે. હાલ મારું માનવું છે કે, શિવ સુંદર દાસ અને તેના સહયોગીઓને બે ટેસ્ટ પછી અને તેના બેટિંગ ફોર્મને જોઈને નિર્ણય કરવો પડશે.’

હકીકતમાં બીસીસીઆઈ અન્ય સ્પોર્ટ્સ બોર્ડથી અલગ રીતે કામ કરે છે. ભારતીય બોર્ડમાં ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે, જ્યારે ટીકા ચરમસીમા પર પહોંચી જાય છે, તો નિર્ણય નથી લેવાતો. સૂત્રએ કહ્યું કે, ‘વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પછી ડિસેમ્બરના અંત સુધી કોઈ ટેસ્ટ નથી, જ્યારે ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. એટલે પસંદગીકારો પાસે વિચાર-વિમર્શ કરવાનો અને નિર્ણય લેવાનો પૂરતો સમય છે. ત્યાં સુધી પાંચમા પસંદગીકાર (નવા અધ્યક્ષ) પણ સમિતિમાં સામલે થઈ જશે અને ત્યારે નિર્ણય લેવામાં આવી શકે છે.’

વિરાટ પછી મળી હતી કેપ્ટનશિપ
જો લોકો ભારતીય ક્રિકેટની જાણકારી રાખે છે, તે જાણે છે કે, જ્યારે વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકામાં શ્રેણી હાર્યા પછી ટેસ્ટ કેપ્ટનશિપ છોડી હતી, તો રોહિત શરૂઆતમાં ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા વધારે ઉત્સુક ન હતો, કેમકે તેને જાણ ન હતી કે તેનું શરીર સાથ આપશે કે નહીં. સૂત્રએ કહ્યું કે, ‘એ સમયના બે ટોચના અધિકારીઓ (પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ) લોકેશ રાહુલ દક્ષિણ આફ્રિકામાં કેપ્ટન તરીકે પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યા બાદ તેને (રોહિતને) આ ભૂમિકા નિભાવવા માટે રાજી કરવા પડ્યા.’

બેટિંગમાં ફ્લોપ રોહિત શર્મા
નાગપુરની પડકારજનક વિકેટ પર ઓસ્ટ્રિલિયાની સામે 120 રનના શાનદાર સ્કોર સિવાય રોહિતે એ પ્રકારની ઈનિંગ્સ નથી રમી, જેવી આશા તેના જેવા ખેલાડી પાસે રાખવામાં આવે છે. રોહિતે 2022માં ટેસ્ટ કેપ્ટનશિપ સંભાળ્યા બાદથી ભારતે 10 ટેસ્ટ રમી, જેમાંથી ત્રણમાં તે નહોંતો રમ્યો. તેણે આ દરમિયાન 7 ટેસ્ટમાં 390 રન બનાવ્યા હતા. જેમાં તેણે એક સદી ફટકારી હતી, પરંતુ એ સિવાય બીજી કોઈ ઈનિંગ્સમાં 50 રનથી વધારે બનાવી શક્યો ન હતો. જ્યારે બીજી તરફ વિરાટ કોહલીએ એ બધી 10 ટેસ્ટ રમી હતી. જેમાં તેણે 17 ઈનિંગ્સમાં 517 રન બનાવ્યા અને અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે 186 રન તેનો સર્વોચ્ચ સ્કોર રહ્યો. ચેતેશ્વર પુજારાએ આ દરમિયાન 8 ટેસ્ટની 14 ઈનિંગ્સમાં 482 રન બનાવ્યા, જેમાં બે અણનમ ઈનિંગ્સ પણ સામેલ રહી. તેની સરેરાશ 40.12 રહી, પરંતુ તેણે 90 અને 102 રનની બે ઈનિંગ્સ બાંગ્લાદેશની નબળી ટીમ સામે રમી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *