ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ એ વર્ષે યોજાલા જઈ રહેલા વનડે વર્લ્ડ કપને લઈને એક મોટુ નિવેદન આપ્યું છે. આ વર્લ્ડ કપ ભારતની મેજબાનીમાં જ રમાશે. રોહિતે કહ્યું કે, તેને સ્પિનર રવિચંદ્રન અશ્વિનની એ સલાહ ગમી છે. જેમાં તેણે વનડે મેચોને બે કલાક વહેલાં શરુ કરવાની વાત કરી છે. અશ્વિને મેચોને 11.30 વાગે શરુ કરવાની સલાહ આપી છે.