Today News

ravichandran ashwin, અશ્વિને કુંબલેનો મોટો રેકોર્ડ તોડી લાયનની બરાબરી કરી, પણ રહી ગયો હશે એક વસવસો! – india vs australia 4th test 2023 ashwin breaks anil kumble record and equal nathan lyon

ravichandran ashwin, અશ્વિને કુંબલેનો મોટો રેકોર્ડ તોડી લાયનની બરાબરી કરી, પણ રહી ગયો હશે એક વસવસો! - india vs australia 4th test 2023 ashwin breaks anil kumble record and equal nathan lyon


ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. પ્રથમ દાવમાં અશ્વિને પાંચમી વિકેટ લેવાની સાથે જ ઈતિહાસ રચી દીધો છે. ટોડ મર્ફીને આઉટ કરવાની સાથે જ તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો ભારતીય બોલર બની ગયો છે. તેણે અનિલ કુંબલેના 111 વિકેટના રેકોર્ડને પાછળ રાખી દીધો છે. બાદમાં તેણે ઓસ્ટ્રેલિયન સ્પિનર નાથન લાયનની બરાબરી કરી હતી. અશ્વિને મેચના પ્રથમ દિવસે ફક્ત એક જ વિકેટ ઝડપી હતી. જ્યારે બીજા દિવસે તેણે ચાર વિકેટ ઝડપીને ઈતિહાસ રચી દીધો હતો. અશ્વિને પ્રથમ દાવમાં 91 રન આપીને છ વિકેટ પોતાના નામે કરી હતી.

આ મેચ પહેલા તે આ રેકોર્ડથી પાંચ વિકેટ દૂર હતો. અશ્વિને ટ્રેવિસ હેડને રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ કરાવીને મેચની પ્રથમ વિકેટ ઝડપી હતી. જ્યારે બીજા દિવસે પ્રથમ સત્રમાં કોઈ વિકેટ પડી ન હતી. જ્યારે બીજા સત્રમાં તેણે સદી ફટકારનારા કેમેરોન ગ્રીનને આઉટ કર્યો હતો. બાદમાં વિકેટકીપર એલેક્સ કેરી ખાતું ખોલાવે તે પહેલા જ તેને પેવેલિયન ભેગો કરી દીધો હતો. ત્યારપછી મિચેલ સ્ટાર્ક અશ્વિનનો આગામી શિકાર બન્યો હતો. જોકે, તે આટલેથી અટક્યો ન હતો. તેણે પ્રથમ દાવમાં છઠ્ઠી વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયન સ્પિનર નાથન લાયનના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી.

નાથન લાયનના રેકોર્ડની કરી બરાબરી
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલે અશ્વિને અનિલ કુંબલેના રેકોર્ડને તોડ્યા બાદ ઓસ્ટ્રેલિયન સ્ટાર નાથન લાયનના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. નાથન લાયને 22 ટેસ્ટમાં 113 વિકેટ ઝડપી છે. જ્યારે અશ્વિને 26 ટેસ્ટમાં 113 વિકેટ પોતાના નામે કરી છે. અનિલ કુંબલેની 111 વિકેટ છે. હાલમાં રમી રહેલા હોય તેવા ક્રિકેટર્સમાં રવિન્દ્ર જાડેજા છે જેણે અત્યાર સુધી 85 વિકેટ ઝડપી છે. હરભજન સિંહે 95 વિકેટ ખેરવી હતી.

રેકોર્ડને નોંધાવ્યા બાદ પણ અશ્વિનને હશે અફસોસ
અશ્વિને મોટી સિદ્ધિ હાંસલ કરી છે અને મોટો રેકોર્ડ પણ નોંધાવ્યો છે. પરંતુ તેને એક અફસોસ ચોક્કસથી રહ્યો હશે કે તે વહેલા આ વિકેટ ઝડપી શક્યો નહીં. અશ્વિને જો પ્રથમ દિવસે વધુ વિકેટ ઝડપી હોત તો પરિસ્થિતિ થોડી અલગ રહી હોત. ભારત માટે આ મેચ જીતવી ઘણી જરૂરી છે. જો ભારત આ ટેસ્ટ હારી જશે તો આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાઈ થવા તેને શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી સીરિઝના પરીણામ પર આધાર રાખવો પડશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા સીરિઝની ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ જીતવાની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી ગયું છે.

Exit mobile version