Today News

Rahul Dravid,કોચ તરીકે ફ્લોપ છે રાહુલ દ્રવિડ? અશિયા કપ-વર્લ્ડ કપ તો છોડો, બાંગ્લાદેશ-વિન્ડિઝ સામે પણ હાર્યા – coach rahul dravid report card is he fail as a coach of team india

Rahul Dravid,કોચ તરીકે ફ્લોપ છે રાહુલ દ્રવિડ? અશિયા કપ-વર્લ્ડ કપ તો છોડો, બાંગ્લાદેશ-વિન્ડિઝ સામે પણ હાર્યા - coach rahul dravid report card is he fail as a coach of team india


Rahul Dravid Coaching Review: ટી20 વર્લ્ડ કપ 2021 બાદ રાહુલ દ્રવિડને ભારતીય ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો. જ્યારે તેને આ જવાબદારી મળી ત્યારે ભારતીય ચાહકોમાં એક અલગ જ ખુશી હતી. દ્રવિડની ગણતરી ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ બેટ્સમેનોમાં થાય છે. સાદગી એ તેની ઓળખ છે. તેના કોચિંગ હેઠળ ભારતે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે. ઈન્ડિયા-A ટીમે પણ દ્રવિડના કોચિંગ હેઠળ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સમયે ટીમ ઈન્ડિયામાં આવતા લગભગ તમામ યુવા ખેલાડીઓ પોતાના પ્રદર્શનનો શ્રેય દ્રવિડને આપતા હતા. પરંતુ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે દ્રવિડે ચાહકોને માત્ર નિરાશ કર્યા છે.

આઈસીસી ટુર્નામેન્ટમાં નિરાશાજનક પ્રદર્શન
દ્રવિડની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ત્રણ આઈસીસીની ત્રણ ટુર્નામેન્ટ રમી છે. 2022માં રાહુલ દ્રવિડના કોચિંગમાં ટીમ ઈન્ડિયા એશિયા કપમાં રમ્યું હતું. જેમાં તે સુપર-4ની બહાર થઈ ગયું હતું. જ્યારે 2022ના ટી20 વર્લ્ડ કપમાં ટીમ સેમિફાઈનલમાંથી આઉટ થઈ ગઈ હતી. જોકે, ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું પરંતુ ફાઈનલમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

T20 શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હારી ગયું છે
ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 સિરીઝ હારી ગઈ છે. શ્રેણીની પ્રથમ બે મેચ હાર્યા બાદ રાહુલ દ્રવિડના કોચિંગવાળી ટીમે શાનદાર વાપસી કરી હતી. પછીની સળંગ બે મેચ જીતી. પરંતુ તે પછી પાંચમી અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝના વળતા હુમલા સામે ટકી શકી ન હતી. આ સિરીઝ પહેલા વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે 25 મેચમાં માત્ર 7 મેચ જીતી હતી. એટલું જ નહીં ટીમ એક જ શ્રેણીમાં ત્રણ મેચ હારી છે. આ હાર સાથે 2018થી વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 14 શ્રેણી જીતવાની હારમાળાનો પણ અંત આવી ગયો છે.

બાંગ્લાદેશ સામે હાર, ઓસ્ટ્રેલિયાએ ઘરઆંગણે હરાવ્યું
ભારતીય ટીમ ગયા વર્ષના અંતમાં બાંગ્લાદેશના પ્રવાસે હતી. વનડે શ્રેણીમાં ટીમનો પરાજય થયો હતો. ટીમ ઈન્ડિયા ટેસ્ટ પણ જેમ-તેમ કરીને જીતવામાં સફળ રહ્યું હતું. અશ્વિન અને શ્રેયસ ઐયરની ઈનિંગ્સે ભારતને ટેસ્ટ જીતાડી હતી. IPL 2023 પહેલા ઓસ્ટ્રેલિયાએ ઘરઆંગણે વન-ડે શ્રેણીમાં ભારતને હરાવ્યું હતું. વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી વનડેમાં ટીમ 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 10 વિકેટથી મેચ હારી ગઈ હતી.

દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ જીતી અને ઈંગ્લેન્ડમાં હાર
રાહુલ દ્રવિડના કોચ બન્યા પછી તરત જ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગઈ હતી. દક્ષિણ આફ્રિકાએ સતત બે ટેસ્ટની ચોથી ઈનિંગ્સમાં 200થી વધુનો સ્કોર કરીને મેચ જીતી હતી. 2022માં ઈંગ્લેન્ડના પ્રવાસ પર ભારત સામે અત્યાર સુધીનો સૌથી મોટો રન ચેઝ થયો હતો. ઈંગ્લેન્ડે 378 રનનો ટાર્ગેટ ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. બંને જગ્યાએ ટીમને સિરીઝ જીતવાની તક હતી પરંતુ નિરાશા હાથ લાગી હતી. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં વન-ડે શ્રેણીમાં 3-0થી હારી ગઈ હતી.

વર્લ્ડ કપ પહેલા અખતરા
ગયા વર્ષે ભારતીય ટીમે સતત કેપ્ટન બદલ્યા હતા. દરેક શ્રેણીમાં કમાન અલગ-અલગ ખેલાડીના હાથમાં હતી. વર્લ્ડ કપ 2023 હવે ફક્ત બે મહિના દૂર છે પરંતુ રાહુલ દ્રવિડના અખતરા અટકવાનું નામ નથી લઈ રહ્યા. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરીઝમાં કેપ્ટન રોહિત શર્મા બેંચ પર બેઠો હતો. વિરાટ કોહલીને બેટિંગ કેવી રીતે કરવી તે પણ આવડતું ન હોય તેવું લાગી રહ્યું હતું. 2007ના વર્લ્ડ કપ પહેલા પણ આવા ઘણા અખતરા થયા હતા. ત્યારે દ્રવિડ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો અને ભારતનું શું થયું હતું તે ક્રિકેટ પ્રેમીઓ સારી રીતે જાણે છે.

Exit mobile version