લિસ્ટ A ક્રિકેટમાં બીજી બેવડી સદી ફટકાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર થઈ ગયેલા ઓપનર પૃથ્વી શોએ સ્વીકાર્યું કે તે અત્યારે રાષ્ટ્રીય ટીમમાં પોતાના ભવિષ્ય વિશે વિચારી રહ્યો નથી. તે ફક્ત કાઉન્ટી ક્રિકેટમાં તેની રમતનો આનંદ માણવા માંગે છે. બુધવારે ઈંગ્લેન્ડની વન-ડે કપ ટુર્નામેન્ટમાં સમરસેટ સામે નોર્થમ્પટનશાયર માટે રમતા પૃથ્વી શોએ 153 બોલમાં 244 રન ફટકાર્યા હતા. આ સાથે તેણે એક રેકોર્ડ પણ નોંધાવ્યો હતો.
પ્રથમ વખત કાઉન્ટી ક્રિકેટ રમી રહેલા 23 વર્ષીય બેટ્સમેને પોતાની ઈનિંગ્સ દરમિયાન 28 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા. લિસ્ટ Aમાં આ તેની બીજી બેવડી સદી છે. જ્યારે આ ફોર્મેટમાં આ તેની કુલ નવમી સદી છે. પૃથ્વી શો છેલ્લા બે વર્ષથી ભારતીય ટીમની રેસમાંથી બહાર છે. મુંબઈના આ બેટ્સમેને જુલાઈ 2021માં શ્રીલંકા પ્રવાસ પર ભારત માટે છેલ્લી મેચ રમી હતી. તેને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાઈ રહેલી શ્રેણીમાં પણ સામેલ કરવામાં આવ્યો ન હતો અને તે આગામી આયર્લેન્ડ શ્રેણી અને એશિયન ગેમ્સ માટે બીજા સ્તરની ભારતીય T20 ટીમનો પણ ભાગ નથી.
પ્રથમ વખત કાઉન્ટી ક્રિકેટ રમી રહેલા 23 વર્ષીય બેટ્સમેને પોતાની ઈનિંગ્સ દરમિયાન 28 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા. લિસ્ટ Aમાં આ તેની બીજી બેવડી સદી છે. જ્યારે આ ફોર્મેટમાં આ તેની કુલ નવમી સદી છે. પૃથ્વી શો છેલ્લા બે વર્ષથી ભારતીય ટીમની રેસમાંથી બહાર છે. મુંબઈના આ બેટ્સમેને જુલાઈ 2021માં શ્રીલંકા પ્રવાસ પર ભારત માટે છેલ્લી મેચ રમી હતી. તેને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાઈ રહેલી શ્રેણીમાં પણ સામેલ કરવામાં આવ્યો ન હતો અને તે આગામી આયર્લેન્ડ શ્રેણી અને એશિયન ગેમ્સ માટે બીજા સ્તરની ભારતીય T20 ટીમનો પણ ભાગ નથી.
પૃથ્વી શોએ મેચ બાદ કહ્યું હતું કે, હું અનુભવ મેળવવા માટે ચોક્કસપણે અહીં રમી રહ્યો છું. ભારતીય પસંદગીકારો શું વિચારી રહ્યા છે તે હું વિચારતો નથી. પરંતુ હું અહીં સારો સમય પસાર કરવા માંગુ છું. તેણે કહ્યું હતું કે, નોર્થમ્પટનશાયરએ મને આ તક આપી છે અને હું આ તકનો લાભ લેવામાં સફળ રહ્યો છું તેનો મને આનંદ છે.
પોતાની બેવડી સદી અંગે બોલતા તેણે કહ્યું હતું કે, બેટિંગ માટે આદર્શ પરિસ્થિતિ હતી. તે દિવસ ભારતના હવામાન જેવો જ હતો તેથી તે સારું હતું. હું કશું જ વિચારતો ન હતો. તમે ક્યારેક નસીબદાર બનો છો તેથી આ મારો દિવસ હતો. જ્યારે મેં 150 રન નોંધાવ્યા ત્યારે મને લાગ્યું કે કદાચ મારો સારો સમય છે અને આ એક મોટી ઈનિંગ્સ રમવાનો દિવસ હોઈ શકે છે.