Today News

krunal pandya, IPL 2023: કૃણાલ પંડ્યાનું ઓલ-રાઉન્ડ પ્રદર્શન, હૈદરાબાદ સામે લખનૌનો આસાન વિજય – ipl 2023 lucknow super giants vs sunrisers hyderabadall round krunal pandya downs srh in lucknow

krunal pandya, IPL 2023: કૃણાલ પંડ્યાનું ઓલ-રાઉન્ડ પ્રદર્શન, હૈદરાબાદ સામે લખનૌનો આસાન વિજય - ipl 2023 lucknow super giants vs sunrisers hyderabadall round krunal pandya downs srh in lucknow


કૃણાલ પંડ્યા સહિત બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે આઈપીએલ-2023 ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં શુક્રવારે રમાયેલા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. લખનૌના અટલ બિહારી વાજપાઈ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, હૈદરાબાદની ટીમ મોટો સ્કોર નોંધાવી શકી ન હતી. હૈદરાબાદે 20 ઓવરમાં આઠ વિકેટે 121 રન જ નોંધાવ્યા હતા. જેના જવાબમાં લખનૌ ટીમે 16 ઓવરમાં પાંચ વિકેટે 127 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. લખનૌ માટે કૃણાલ પંડ્યાએ ઓલ-રાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રણ વિકેટ ઝડપવા ઉપરાંત 34 રન પણ નોંધાવ્યા હતા.

હૈદરાબાદ સામે લખનૌનો આસાન વિજય
લખનૌ સુપર જાયન્ટ્સ સામે 122 રનનો આસાન લક્ષ્યાંક હતો અને તેને પાર પાડવામાં લોકેશ રાહુલની આગેવાનીવાળી ટીમને કોઈ મુશ્કેલી નડી ન હતી. કાયલે માયર્સ અને લોકેશ રાહુલની ઓપનિંગ જોડીએ સારી શરૂઆત કરી હતી. પરંતુ માયર્સ 13 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે દીપક હૂડા સાત રન જ નોંધાવી શક્યો હતો. જોકે, કેપ્ટન રાહુલ અને કૃણાલ પંડ્યાએ બાજી સંભાળી હતી. બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરનારા કૃણાલ પંડયાએ બેટિંગમાં પણ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. તેણે 23 બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સર સાથે 34 રન ફટકાર્યા હતા. જ્યારે રાહુલે 31 બોલમાં 35 રન નોંધાવ્યા હતા. હૈદરાબાદ માટે આદિલ રાશિદે બે તથા ઉમરાન મલિક, ફઝલહક ફારૂકી અને ભુવનેશ્વર કુમારે એક-એક વિકેટ ઝડપી હતી.

લખનૌના બોલર્સનું શાનદાર પ્રદર્શન, મોટો સ્કોર ન કરી શક્યું હૈદરાબાદ
હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, લખનૌના બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને હૈદરાબાદને મોટો સ્કોર કરવા દીધો ન હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 121 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર મયંક અગ્રવાલ આઠ રન નોંધાવીને આઉટ થયો હતો. બાદમાં અનમોલપ્રીત સિંહ અને રાહુલ ત્રિપાઠીએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ જોડી પણ વધારે સમય ટકી શકી ન હતી. અનમોલપ્રીતે 26 બોલમાં 31 રન નોંધાવ્યા હતા જ્યારે ત્રિપાઠી 41 બોલમાં 35 રન નોંધાવીને આઉટ થયો હતો.

બાદમાં ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી જેના કારણે ટીમ મોટો સ્કોર કરી શકી ન હતી. કેપ્ટન એઈડન માર્કરામ ખાતું ખોલાવી શક્યો ન હતો. જ્યારે હૈરી બ્રૂક ત્રણ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. વોશિંગ્ટન સુંદરે 16 તથા અબ્દુલ શમદે 10 બોલમાં એક ચોગ્ગા અને બે સિક્સરની મદદથી અણનમ 21 રનનું યોગદાન આપ્યું હતું. લખનૌ માટે કૃણાલ પંડ્યાએ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે અમિત મિશ્રાને બે તથા યશ ઠાકુર અને રવિ બિશ્નોઈને એક-એક સફળતા મળી હતી.

Exit mobile version